બુધવારે નિયામક ફાઈલિંગમાં કહ્યું કે તિવારી 15 માર્ચ 2022થી સેવામુક્ત થયા છે. ભારે દેવામાં ડૂબેલી આ કંપની વેચાવાના આરે છે અને તેને ખરીદવાની હોડમાં અદાણી ફાઈનસર્વ સહિત ઘણી કંપનીઓ સામેલ છે. અત્યારે આ કંપની એનસીએલટીની મુંબઈ બ્રાન્ચમાં કોર્પોરેટ રિઝોલ્યુશન પ્રોસેસમાં છે. રિઝર્વ બેંકે 20 નવેમ્બર, 2021માં રિલાયન્સ કેપિટલના બોર્ડને ભંગ કરી દીધુ હતુ. કંપનીએ પેમેન્ટમાં ડિફોલ્ટ કર્યુ હતુ અને તેના કામકાજ પર પણ સવાલ ઉઠાવ્યાં હતા. કેન્દ્રીય બેંકે બેંક ઑફ મહારાષ્ટ્રના પૂર્વ એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર નાગેશ્વર રાવ વાઈની કંપનીના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુંક કરી હતી.
કેટલુ છે દેવુ
આ કંપનીને ખરીદવામાં અદાણી ફાઈનસર્વ, કેકેઆર, પીરામલ ફાઈનાન્સ અને પુનાવાલા ફાઈનાન્સ સહિત 14 મુખ્ય કંપનીઓએ રસ દાખવ્યો છે. રિલાયન્સ કેપિટલ માટે બોલી દાખલ કરવાની અંતિમ તારીખ 11 માર્ચ હતી. જેને વધારીને હવે 25 માર્ચ કરી દેવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ સહિત ADAGની ઘણી કંપનીઓ દેવુ ચૂકવવામાં નિષ્ફળ રહી ત્યારબાદ બેંકોએ તેમને બેંકરપ્સી કોર્ટમાં ઘસેડ્યા. રિલાયન્સ કોમ્યુનિકેશને ડિસેમ્બરમાં કહ્યું હતુ કે તેમના પર ભારતીય બેંકો અને નાણાંકીય સંસ્થાઓનું 26,000 કરોડ રૂપિયાનુ દેવુ છે. અત્યારે આ કંપની ઇનસૉલ્વન્સી પ્રોસીડિંગથી પસાર થઇ રહી છે. ભારતીય બેન્કો, વેન્ડરો અને અન્ય ક્રેડિટર્સે કંપની પર 86,000 કરોડ રૂપિયાની લેણી રકમનો દાવો કર્યો છે.