એક સમયે દુનિયાભરમાં સૌથી અમીર લોકોમાં જેમનું નામ આવતું હતું તેમણે આ વર્ષે જ લંડનની એક કોર્ટમાં કહ્યું હતું કે પહેલા હું અમીર હતો પણ અત્યારે ગરીબ છું. જેના કારણે હું ચીનની બેંકના પાંચ હજાર કરોડ રૂપિયા આપી શકતો નથી. નોંધનીય છે કે ચીનની ત્રણ બેંકૉએ દેવું પાછું લેવા માટે લંડનની એક કોર્ટમાં અનીલ અંબાણી પર કેસ નોંધાવ્યો હતો. હવે અચાનક જ આ મુદ્દો ફરી સોશિયલ મીડિયામાં ઉઠ્યો છે અને લોકો ખૂબ મજા લઇ રહ્યા છે.
અનિલ અંબાણીનું દેવું સોશ્યલ મીડિયામાં ચર્ચિત
ચીનની બેંકનું દેવાળું ફૂંકનાર અનિલ અંબાણીના લોકોએ કર્યા વખાણ
નાદાર થવું હોય તો વિજય માલ્યા નહીં અનિલ અંબાણી બનો : સોશ્યલ મીડિયા યુઝર
એક ટ્વિટર યુઝરે કહ્યું કે આખા દેશમાં ચીનના બહિષ્કારની માગ ઉઠી રહી છે. એક અમારા અનિલ અંબાણી છે જેમણે ચીનની બેંકને પૈસા પાછા આપવાની ના પાડી દીધી. તમે સાચા ભારતીયો છે અને અમને તમારા પર ગર્વ છે.
એક ટ્વિટર યુઝરે કહ્યું કે જો તમારે નાદાર બનવું હોય તો અનિલ અંબાણીની જેવા બનો, વિજય માલ્યા જેવા નહીં.
અન્ય એક ટ્વિટર યુઝરે કહ્યું કે અનીલ અંબાણી તો PM મોદીથી પણ સારા છે. ચીનનું આટલા ડોલરનું નુકસાન તો કર્યું.
એક ટ્વિટર યુઝરે એક આર્ટિકલ શેર કરતા કહ્યું કે અનિલ અંબાણી એક માત્ર સાચા ભારતીય છે જેમણે ચીનનું સૌથી વધારે નુકસાન કર્યું છે.
માનસી કૉલ નામક એક ટ્વિટર યુઝરે કહ્યું કે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક નાદારને આ રીતે હિરો તરીકે નામના મળી જશ. ટ્વિટર પર અનિલ અંબાણીના અચ્છે દિન આવી ગયા છે.
સોશિયલ મીડિયામાં અનિલ અંબાણી જોતજોતામાં ટ્રેન્ડમાં આવી ગયા. એક ટ્વિટર યુઝરે કહ્યું કે સરકારો હજુ તો ચીનને આપેલ કોન્ટ્રકટ રદ કરવા પર વિચાર કરી રહી છે ત્યાં અનિલ અંબાણી તો બે ડગલાં આગળ નીકળી ગયા.