સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ દ્વારા સ્પેક્ટ્રમ વેચવા મુદ્દે સરકારને સવાલ કર્યા હતા. વડી અદાલતે કહ્યું કે, જો આ કંપનીઓ પોતાની તમામ સંપત્તિનું વેચાણ કરશે તો લેણાની વસૂલાત કેવી રીતે કરી શકાશે?
અનિલ અંબાણીની કંપની બાબતે સુપ્રીમ કોર્ટે સરકારને કર્યા સવાલ
સ્પેક્ટ્રમનું વેચાણ કરી દેશે તો બાકી લેણાની વસૂલાત કેવી રીતે કરશો ?
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કંપનીઓના આ નિર્ણય અંગે પરેશાની વ્યક્ત કરતા સરકારને પૂછ્યું હતું કે, આખરે આ કંપનીઓ પાસેથી 43 હજાર કરોડ રૂપિયા વસૂલાવનો શું પ્લાન છેય સોમવારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ રિઝોલ્યુએશન પ્લાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચે સરકારને કર્યા સવાલ
જસ્ટિસ અરૂણ મિશ્રાના નેતૃત્વવાળી 3 જજોની બેંચે કહ્યું કે, આખરે સરકાર આ મામલામાં સુપ્રીમ કોર્ટથી ન્યાય માટે ઉતાવળ કેમ બતાવી રહી નથી. બેંચમાં સામેલ જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું જો તમે ઝડપથી અપીલ નહીં કરો તો ફરી સ્પેક્ટ્રમનું વેચાણ કેવી રીતે રોકી શકશો. જસ્ટિસ શાહે જણાવ્યું હતું કે, આ દરમિયાન જો સ્પેક્ટ્રમનું વેચાણ થઇ જશે તો પછી તમે શું કરશો.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તર્ક આપ્યો
આપને જણાવી દઇએ કે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તર્ક આપ્યો હતો કે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ અને નેશનલ કંપની લો અપીલીય ટ્રિબ્યૂનલ દ્વારા એસેટ્સ વેચવાની મંજૂરી વિરૂદ્ધ અરજી દાખલ કરી છે જેની પર સુનાવણીની રાહ જોવાઇ રહી છે.