અમદાવાદના પીરાણા પાસે આવેલ નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે અને આગની આ ઘટનામાં 11 લોકોના મૃત્યુ થયા છે જયારે 6 લોકોનું રેસ્કયુ કરાયું છે. ત્યારે આ બનાવને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં આગનો મામલો
PM મોદી અને અમિત શાહે ટ્વીટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદના ગોડાઉનમાં આગની ઘટના અંગે વ્યક્ત કર્યુ દુઃખ
પ્રધાનમંત્રી મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમદાવાદના કાપડના ગોડાઉનમાં આગને કરાણે થયેલી જાનહાનીને કારણે ખુબ દુખી છું. પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ થનારાઓ માટે પ્રાર્થના છે. સ્થાનિક તંત્ર તમામ પ્રકારની શક્ય મદદ કરવા માટે તત્પર છે.
Anguished by the loss of lives due to a fire in a godown in Ahmedabad. Condolences to the bereaved families. Prayers with the injured. Authorities are providing all possible assistance to the affected.
સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે: અમિત શાહ
અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં આગનો મામલે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે, સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે, જીવ ગુમાવનાર પરિવારો માટે સંવેદના છે.
अहमदाबाद में कपड़ों के गोदाम में आग लगने की सूचना अत्यंत दुःखद है। स्थानीय प्रशासन घटनास्थल पर हर सम्भव सहायता प्रदान करने में जुटा है। इस दुर्घटना में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ और घायलों के शीघ्र ही स्वस्थ होने की प्रार्थना करता हूँ।
અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો કાપડના ગોડાઉનમાં આગ લાગવાના કારણે 9 લોકોના મૃત્યુ થયા છે.
કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો: ફાયર ચીફ એમ.એન.દસ્તુર
અમદાવાદ ગોડાઉનમાં આગની ઘટના પર ફાયર ચીફ એમ.એન.દસ્તુરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આગ કરતા છત ધરાશાયી થતાં મોટું નુકસાન થયું છે. ત્યાર સુધી 9 લોકોના મૃત્યુ, 9 લોકોને બહાર કઢાયા છે. કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયો છે.
આગ મામલે શ્રમ-રોજગારમંત્રી દિલીપ ઠાકોરનું નિવેદન
અમદાવાદમાં કાપડનાં ગોડાઉનમાં આગ મામલે શ્રમ-રોજગારમંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે, સમાચાર મળતા અધિકારીની ટીમ ઘટના સ્થળે મોકલી છે. ગોડાઉનમાં આગ લાગવાના સમાચાર મળ્યા છે. ફેક્ટરી એક્ટ હેઠળ પગલાં લેવાશે. અમદાવાદના કાપડના ગોડાઉનમાં આગને કરાણે થયેલી જાનહાનીને કારણે ખુબ દુ:ખી છું. પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ થનારાઓ માટે પ્રાર્થના છે. સ્થાનિક તંત્ર તમામ પ્રકારની શક્ય મદદ કરવા માટે તત્પર છે.
ગોડાઉનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાનો પણ અભાવ
નાનુકાકા એસ્ટેટમાં કાપડની ફેક્ટરીના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. કાપડનું ગોડાઉન સંપૂર્ણ પેક હતું. અને વેન્ટિલેશનની વ્યવસ્થાનો અભાવ હતો તો સાથે જ ગોડાઉનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે.
ગોડાઉન બટા ભરવાડ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું
મહત્વનું છે કે સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું.આ ગોડાઉન બટા ભરવાડ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું છે. અને પોલીસે કેમિકલના ગોડાઉન મલિકની પૂછપરછ શરૂ કરી છે.
બ્લાસ્ટથી આસપાસના 5 થી વધુ ગોડાઉનને અસર થઈ
બ્લાસ્ટથી આસપાસના 5 થી વધુ ગોડાઉનને અસર થઈ છે. 3 થી 4 ગોડાઉનની છતો ધરશાયી થઈ છે. અત્યાર સુધીમાં 14 લોકોને બહાર કઢાયા છે. 14 પૈકી 9 લોકોના મોત થયા છે. બટા ભરવાડ નામના વ્યક્તિનુ ગોડાઉન હોવાનું સામે આવ્યું છે.