મુંબઇ: અજય દેવગણ હાલમાં 1 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થનારી પોતાની ફિલ્મ બાદશાહોના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિલસિલામાં રવિવારે 'ધ કપિલ શર્મા' ના સેટ પર પહોંચ્યા. પરંતુ ક્રોધે ભરાયેલા અજયને શૂટિંગ વગર ત્યાંથી પાછા ફરવું પડ્યું. આવું એટલા માટે કારણ કે હોસ્ટ કપિલ શર્મા પેનિક અટેકના કારણે સેટ પર પહોંચી શક્યો નહતો.
કપિલે અજય દેવગણને સવારે 11.30 નો સમય આપ્યો હતો. પરંતુ કપિલ ત્યાં ક્યાંય જોવા મળ્યો નહીં. પ્રોડક્શન ટીમે કપિલનો કોન્ટેક્ટ કરવાનો ખૂબ જ ટ્રાય કર્યો પરંતુ કોઇ જાણકારી મળી નહીં. સેટથી જોડાયેલા સૂત્રઓએ એક પોર્ટલમાં જણાવ્યું કે આ દરમિયાન કપિલનો ફોન પણ ઓફ હતો. લાખ પ્રયત્નો કરવા છતાં પણ ટીમ કપિલ સાથે સંપર્ક કરી શકી નહતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કપિલના આવા વર્તણુંકથી અજય ગુસ્સે ભરાયો હતો અને અડધો કલાક રાહ જોઇ અને પાછો ચાલ્યો ગયો. બાદમાં શો ની પ્રોડક્શન ટીમે ફિલ્મના સ્ટારકાસ્ટને જણાવ્યું કે કપિલનું સ્વાસ્થ્ય સારું નહતું. એમને પેનિક અટેક આવ્યો છે.