બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Angelique Coetzee, doctor who detected Omicron variant, says India will see surge but cases will be mild

મહામારી / કોથળામાંથી બીલાડું : ભારતમાં ફેલાયેલા ઓમિક્રોનને લઈને રાહતના સૌથી મોટા સમાચાર, નવા વેરિયન્ટના 'શોધકે' કહ્યું આવું

Hiralal

Last Updated: 02:47 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં સૌથી પહેલી વાર ઓમિક્રોન વેરિયન્ટની શોધ કરનાર સાઉથ આફ્રિકાના ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ ભારતમાં ઓમિક્રોનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

  • ઓમિક્રોનના શોધક સાઉથ આફ્રિકન ડોક્ટરને ભારતને લઈને મોટું નિવેદન 
  • ભારતમાં ઓમિક્રોનના કેસ પણ ઈન્ફેક્શન હળવું રહેશે
  • પ્રવર્તમાન વેક્સિન ઓમિક્રોનને કાબુમાં લાવી દેશે

ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ કહ્યું કે ભારતમાં ઓમિક્રોનના કેસ અને હાઈ પોઝિટીવીટી રેટમાં વધારો થશે પરંતુ સાઉથ આફ્રિકામાં જેવું બન્યું તેવું મોટાભાગના લોકોમાં ઈન્ફેક્શન હળવું રહેશે. 

પ્રવર્તમાન વેક્સિન ઓમિક્રોનને કાબુમાં લાવી દેશે

સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ કહ્યું કે પ્રવર્તમાન વેક્સિન ઓમિક્રોનને કાબુમાં લાવી દેશે અને જે લોકોએ હજુ સુધી વેક્સિન લીધી નથી તેમના માટે 100 ટકા જોખમ છે. તેમણે કહ્યું કે હાલમાં દુનિયામાં જે પણ વેક્સિન ઉપલબ્ધ છે તે ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો ઘટાડવામાં મદદ કરશે. 

ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ સૌથી પહેલી વાર ઓમિક્રોન વેરિયન્ટની શોધ કરી હતી
ઉલ્લેખનીય છે કે  ડોક્ટર એન્ગેલિક કોઈત્ઝીએ સૌથી પહેલી વાર ઓમિક્રોન વેરિયન્ટની શોધ કરી હતી તેમનું કહેવું છે કે કોરોના મહામારી હજુ પૂરી થઈ નથી અને આગામી દિવસમાં સ્થાનિક મહામારીમાં ફેરવાઈ જશે. 

લાંબા સમય સુધી વાયરસ સાથે રહેવાથી કુદરતી રોગપ્રતિકાર શક્તિ વિકસીત થઈ જશે 
વેક્સીન નિષ્ણાંત અને વૈજ્ઞાનિક ડૉ. ગગનદીપ કાંગેએ જણાવ્યું, "લાંબા સમય સુધી કોવિડની સાથે રહેવાના કારણે વધુમાં વધુ લોકો આ સંક્રમણનો અનુભવ કરશે અને માટે, તેના વિરૂદ્ધ એક પ્રાકૃતિક રક્ષા વિકસિત કરશે. વેક્સીનેશન બાદ, મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી થઈ જશે.

સાધારણ ફ્લૂ બની જશે કોરોના 
વેલ્લોરના ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજિસ્ટે તે વિશે સમજાવતા જણાવ્યું કે, "માની લો કે આપણાં શરીર એક નવજાત બાળકની જેમ છે. બાળક શરૂઆતના વર્ષોમાં વધુ સંક્રમિત થઈ જાય છે. કારણ કે તેમને વાતાવરણથી વધુ પેથોગોન મળે છે. પરંતુ જેમ જેમ તે ધીરે-ધીરે મોટુ થાય છે. તે ઉપરાંત શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થાય છે અને ત્યાર બાદ બાળક વારંવાર બીરા નહીં પડે. માટે જેમ જેમ માણસનું શરીર કોરોના વાયરસના અલગ અલગ વેરિએન્ટનો સામનો કરશે લોકોની ઈમ્યુનિટી વધી જશે. ત્યાર બાદ એક સમય એવો આવશે કે કોરોના એક સાધારણ ફ્લૂની જેમ રહી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Omicron Covid variant india corona india omicron ઈન્ડીયા ઓમિક્રોન ઓમિક્રોન કોવિડ વેરિયન્ટ કોરોના ઈન્ડીયા coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ