એક મહિનામાં બે વાર ગણેશ ચતુર્થી આવે છે. દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં ગણેશ ચતુર્થી હોય છે. જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂનમ બાદ આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી (સંકટ ચોથ) કહેવાય છે. જ્યારે ગણેશ ચતુર્થી મંગળવારે આવે તો તેને અંગારકી ચોથ કહેવાય છે.
આ વખતે અંગારકી ચતુર્થી વૈશાખ કૃષ્ણ તૃતિય 3 એપ્રિલ 2018 (મંગળવાર)એ આવે છે. અંગારકી ચતુર્થીને જ સંકટ ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે વિઘ્ન વિનાશક ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે અંગારકી ચતુર્થીનું વ્રત કરવાથી આખું વર્ષ ચતુર્થી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે.
મંગળદેવની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન ગણેશે તેમને વરદાન આપ્યું હતું જ્યારે મંગળવારના દિવસે ચતુર્થી આવતી હોવાથી તેને અંગારકી ચોથના નામે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે અંગારકી ચતુર્થીના વ્રતના પ્રભાવથી મનુષ્યનાં તમામ કાર્યોમાં આવી રહેલા વિઘ્ન અને અવરોધોનો નાશ થાય છે.
અંગારકી ચતુર્થીની પૂજા-વિધિ:
અંગારકી ચતુર્થી પર વ્રત રાખો આ દિવસે સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન વગેરે કરી લેવું. ભગવાન ગણેશની પૂજા કરો. પૂજા માટે ધૂપ-દીવો પુષ્પ દુર્વા અને શક્ય બને તો મેવો અર્પિત કરો અને મોદકનો ભોગ ચડાવો.