કુલ 5714 પદો માટે 9 માર્ચ 2023 સુધી અરજી કરી શકાશે જેમાં પરીક્ષા વગર નોકરીઓ મળી શકે છે. જાણો સમગ્ર માહિતી.
5714 પદો માટે ભરતીની નોટિફિકેશન
મેરિટ પર આપવામાં આવશે સરકારી નોકરી
9 માર્ચ સુધી કરી શકાશે અપ્લાય
10મું અને 12મું પાસ કરીને સરકારી નોકરીઓને શોધી રહેલા યુવકો માટે સારી ખબર છે. આંગણવાડીમાં વિભિન્ન પદો માટે કુલ 5700થી વધારે ખાલી જગ્યાઓ પર ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ પદો માટે અપ્લાય કરવાની પ્રક્રિયા 17 ફેબ્રુઆરી 2023નાં રોજ શરૂ થઈ હતી જે 9 માર્ચ 2023 સુધી ચાલુ રહેશે. અપ્લાય કરવા માટે ઉમેદવારે swcd.punjab.gov.in ની મદદથી ફોર્મ ભરવું પડશે.
5714 ખાલી પદો માટે નોકરી
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 5714 ખાલી પદોને ભરવામાં આવશે. આ ખાલી પદોમાં આંગણવાડી વર્કરનાં 1016, મિની આંગણવાડી વર્કરનાં 129 અને આંગણવાડી હેલ્પરનાં કુલ 4569 પદો શામેલ છે.
યોગ્યતા:
આંગણવાડીનાં આ વિભિન્ન પદો માટે અરજદારોમાં કેટલીક ચોક્કસ યોગ્યતા હોવી જરૂરી છે. ઉમેદવાર કોઈપણ માન્ય વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએન પાસ હોવો જોઈએ. કોઈપણ બોર્ડમાંથી 10મું અને 12મું પાસ પણ અરજી આપી શકે છે. ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષની અંદર હોવી જોઈએ. આરક્ષિત વર્ગ માટે ઉંમરની સીમામાં નિયામુનાર છૂટ આપવામાં આવી છે. ફોર્મ ભરવાની ફીઝ સામાન્ય વર્ગ માટે 1000 રૂપિયા જ્યારે sc-st-obc શ્રેણી માટે 250 રૂપિયા ફીઝ નક્કી કરવામાં આવી છે.
કેવી રીતે અપ્લાય કરશો:
સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ swcd.punjab.gov.in પર જાઓ.
હોમ પેજ પર આપવામાં આવેલા whatsnew સેક્શનમાં જાઓ.
ત્યાં information and instructions regarding recruitment of angadwadi workers and anganwadi helpers ની લિંક પર ક્લિક કરો.