બાળમૃત્યુ દર ઘટાડવા કુપોષણ ઘટાડવા અને મહિલાઓ માટે પોષણ વધારવા માટે અનેક વાતો પણ સગર્ભા આંગણવાડી માટેની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પૂરા મહિને આગંણવાડી ટ્રેનિંગમાં ફરજિયાત હાજર રહેવાની ફરજ પાડનાર ઉપરી ઉપર કોઈ પગલા લેવાશે? મહિલાએ આંગણવાડીની તાલિમમાં પોતાના ગર્ભસ્થ શિશુને ગુમાવવાનો વારો આવ્યો હતો.
તાલિમ માટે ફરજ પડતા મહિલાને પોતાના સંતાનનો જીવ ખોયો
મોબાઈલ ટ્રેનિંગમાં રહેવા ઉપરી એ પાડી હતી ફરજ
પૂરા મહિને આંગણવાડી સંચાલિકા કરતી હતી અપ-ડાઉન
સગર્ભા મહિલા માટે કાગળ ઉપર ચિતરામણા કરી અને આંગણવાડી બહેનોને એનો કારભાર સોંપી તંત્ર નઘરોળની જેમ ઉંઘે છે એ ફરી એકવાર સાબિત થયુ છે. આંગણવાડી મહિલાને પૂરા મહિને તાલીમમાં હાજર રહેવા માટે ફરજ પડાઈ હતી જેને પરિણામે તેનું બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યુ હતુ.
પોરબંદર ના ભોમીયાવદર ની આંગણવાડી ની સંચાલીકા સર્ગભા હોવા છતા તેમની મોબાઈલ માટે ની તાલીમ માટે બોલાવા આવી હતી ત્યાર બાદ સર્ગભા મહીલાના બાળક નુ મોત થતા ભારે ર્ચચા જાગી છે આ બનાવ માં પોગ્રામ ઓફીસરે તપાસ ના આદેશ આપ્યા છે.
કેવી રીતે બની ઘટના
પોરબંદર જીલ્લાની આગણવાડી ની સર્ગભા સંચાલીકા ને સુપરવાઈઝર ની તાલીમ ની જીદ ના કારણે બાળક ગુમાવુ પડયુ છે. પોરબંદરના ભોમીયાવદર ગામે આંગવાડી માં સંચાલીકા તરીકે ફરજ બજાવતા શાતિબેન ઓડદરા સર્ગભા હતા. તેમને નવમો મહિનો ચાલી રહ્યો હતો અને ગમે ત્યારે બાળક અવતરે એવી શક્યતા હતી.
અચાનક ટ્રેનીંગ વખતે જ ઉપડ્યો દુખાવો
24 ઓક્ટોબરથી 26મી ઓક્ટોબર દરમિયાન મજીવાણા ગામે મોબાઈલ ની તાલીમ માટે બોલવા મા આવ્યા હતા અને સતત ત્રણ દિવસ સુધી શાંતિબેન રીક્ષાા માં ભોમીયાવદર થી મજીવાણા રીક્ષાામાં અવર જવર કરતા હતા અને ગત તા. 26 ના રોજ તાલીમ પૂર્ણ કર્યા બાદ શાતિબેન ને દુ:ખાવો ઉપડતા તેમને સીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
આરામ કરવાની અવસ્થાએ બહેનને દોડાવી તેમને ખોવુ પડ્યુ સંતાન
શાંતી બહેનના અહીં જ પ્રસુતી કરાવી પડી હતી. વધુ પડતો સ્ટ્રેસ અને આરામને બદલે અપ-ડાઉનને કારણે શાંતિબહેનને મૃત બાળક અવતર્યુ હતુ. શાતિબેને એવા આક્ષોપો કર્યા હતા કે સુપરવાઈઝર ને રજા માટે મૈાખીક રજુઆત કરી હતી છતા તેમણે રજા આપી નહી જેને કારણે આ ઘટના બની છે. અને બાળક ગુમાવુ પડયુ છે.
આ અંગે અપાયા તપાસના આદેશ
પોરબંદરના ભોમીયાવદર ની આંગણવાડી ની સંચાલીકા સર્ગભાા હોવા છતા તેમને તાલીમ માંથી રજા આપાવામાં આવી નહી જેને કારણે બાળક નુ પેટ માં જ મોત થયુ હતુ આ બનાવ બાદ આ આંગણવાડી સંચાલીકા એ જીલ્લા કક્ષાાએ પોગ્રામ ઓફીસર ને રજુઆત કરતા તે પણ ચોકી ઉઠયા હતા અને તેમણે તુરત જ આ બનાવ માં સીડીપીઓ ને તપાસ ના આદેશ આપી અને ત્રણ દીવસ માં રીપોર્ટ કરવા જણાવ્યુ હતુ