કોરોના વાયરસના કારણે દેશભરમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. લોકડાઉન છતાં હોટસ્પોટ વિસ્તારોમાં કોરોનાનો આતંક જોવા મળી રહ્યો છે. દેશનાં ઘણા બધા વિસ્તારોમાં લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે.
પત્તા રમવાના ચક્કરમાં 24 લોકોમાં કોરોનાનો ભરડો
જિલ્લાઅધિકારીએ લોકોને લોકડાઉનનું પાલન કરવા આગ્રહ કર્યો
આંધ્રપરદેશમાં કુલ 27 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો
પત્તા રમવા ભારે પડ્યું
આંધ્રપ્રદેશનાં વિજયવાડામાં મિત્રો સાથે પત્તા રમવાના ચક્કરમાં 24 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા. લોકડાઉનમાં ટાઈમપાસ માટે ટ્રક ડ્રાઈવર પાડોશીઓ અને મિત્રો સાથે ભેગા થઇને પત્તા રમતા 24 લોકોને કોરોના સંક્રમણ થઇ ગયું.
લોકડાઉનનું ભંગ અને કોરોના સંક્રમણ
વિજયવાડાના જિલ્લાઅધિકારી એ મોહમ્મદ ઈમ્તિયાઝે કહ્યું ટાઈમ પાસ કરવા માટે ટ્રક ચાલક મિત્રો અને પડોશીયો સાથે મળીને પત્તા રમી રહ્યો હતો જ્યારે બીજી એક ઘટનામાં મહિલાઓ ભેગી થઇને તમ્બોલા રમી રહી હતી
જિલ્લાઅધિકારીએ વીડિયો સંદેશ આપીને લોકોને એકબીજાથી દૂર રહેવા અપીલ. તેમણે કહ્યું કે લોકડાઉનનું પાલન ન કરવાના કારણે જ કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે. નોંધનીય છે કે આ શહેરમાં અત્યાર સુધી કોવિડ 19નાં 100 કેસ સામે આવ્યા છે. જ્યારે આ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 900ની નજીક પહોંચી ગઈ છે. તથા 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.