આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના વી. મદુગુલા મંડળના ઉરલોવા ગામમાંથી એક ડરામણો વીડિયો સામે આવ્યો છે.
આદિવાસી સમાજનો અનોખો વિરોધ
સરકારી અધિકારીઓ અને કંપનીઓ વિરુદ્ધ આંદોલન
કાજૂના બગીચા બચાવવા માટે આપી રહ્યા છે લડત
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના વી. મદુગુલા મંડળના ઉરલોવા ગામમાંથી એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. જ્યાં આદિવાસી મહિલાઓએ ગુરૂવારે ધરણા કરી રહી હતી. આ મહિલાઓએ કાજૂના બગીચામાં ઝાડની ડાળીઓ પર સાડી બાંધી અને ફંદો બનાવીને ગળે લગાવી દીધો હતો.
વિરોધની આ રીત એટલા માટે અપનાવામાં આવી છે કારણ કે, આદિવાસીઓનો આરોપ છે કે, માઈનિંગ કંપનીના લોકો રેવન્યૂ અધિકારીઓની મદદદથી તેમના કાજૂના બગીચાને નષ્ટ કરવા લાગ્યા છે. આ મુદ્દાને લઈને આદિવાસીઓ છેલ્લા કેટલાય વર્ષથી વિરોધ કરી રહ્યા છે.
#WATCH | Andhra Pradesh: Tribal women farmers staged a symbolic protest pretending to hang themselves over the destruction of their cashew plantations by mining company representatives, in Madugula Mandal, Anakapalle district. pic.twitter.com/SJOgWYZgd6
વીડિયોમાં આ આદિવાસી મહિલાએ દેખાઈ રહી છે કે, જો તેમના કાજૂના બગીચાને નષ્ટ કરી દેવામાં આવશે તો, તેમની પાસે જીવન ખોવા સિવાય અન્ય કોઈ રસ્તો નહીં બચે. તેમણે આ મુદ્દા પર અનાકાપલ્લી સંયુક્ત કલેક્ટરને તપાસની માગ કરી છે. આદિવાસીઓએ 11 એપ્રિલના રોજ અનાકાપલ્લી કલેક્ટ્રેટમાં વિરોધ પ્રદર્શનની પણ યોજના બનાવી છે. ગિરિજન સંધમ જિલ્લાના મહાસચિવ ઈ. નરસિમ્હા મૂર્તિ અને કૃષિ શ્રમિક સંઘના કેકે ભવાનીએ વિરોધનું નેતૃત્વ કર્યું હતું.
આદિવાસીઓએ કહ્યું કે, તે પોતાની આજીવિકા માટે કાજૂના બગીચા પર નિર્ભર છે. તેના માટે તેમણે ઘણા સમય પહેલા બગીચાને ડી પટ્ટા જાહેર કર્યા હતા. જો કે, માઈનિંગ કંપનીના લોકો અને રેવન્યૂ અધિકારીએ આદિવાસીઓને બગીચાના બદલામાં પૈસા આપ્યા હોવાની વાત કહી છે. જો કે, તેમણે આ દાવાને ફગાવી દીધો હતો.