આંધ્રપ્રદેશમાં નવા ચૂંટાઇ આવેલા ધારાસભ્ય કોટમરેડ્ડી શ્રીધર રેડ્ડીએ વિધાનસભામાં ધારાસભ્યના રૂપે ઇશ્રરના નામ લઇને શપથ લેવાના બદલે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના નામે શપથ લીધા. તેના પર પ્રોટેમ સ્પીકર સંબાંગી અપ્પાલાએ ધારાસભ્યને ટોક્યા હતા. જે બાદ એમણે ઇશ્વરના નામથી શપથ લીધી હતી.
શ્રીધર રેડ્ડી આ વખતે નેલ્લોર ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્ચા છે. ધારાસભ્ય રેડ્ડી દ્વારા મુખ્યમંત્રીના નામથી શપથ લેવાને પોતાના નેતા પ્રત્યે વફાદારીનું એક પગલું માનવામાં આવી રહ્યું છે. રેડ્ડીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તેમના માટે મુ્ખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ભગવાન સમાન છે.
જગન મોહન રેડ્ડીના નામથી શપથ લેવાના કારણ પૂછવા પર કોટમ રેડ્ડી શ્રીધર રેડ્ડીએ કહ્યું કે, એ ભાવનામાં વહી ગયા હતા. તેથી એમણે નિયમોથી હટીને મુખ્યમંત્રીના રૂપે શપથ લઇ લીધી હતી. રેડ્ડીનું કહેવું છે તે એક ગરીબ પરિવારથી આવે છે. એમના પરિવારનું કોઇ નાણાકીય રીત અને રાજનૈતિક બેકગ્રાઉન્ડ નથી.
એનટીઆરના નામે શપથ
રેડ્ડીએ દાવો કર્યો હતો કે આ પહેલા પણ ધારાસભ્ય એનટી રામારાવના નામે શપથ લઇ ચૂક્યા છે. રેડ્ડીએ કહ્યું કે ધારાસભ્ચોને આવુ ન કરવાની અનુમતિ આપવામાં આવી હતી.