આ સમાચાર બાદ સ્વજનો અને સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
માત્ર ૫૦ વર્ષની ઉંમરે છોડી દુનિયા
તેમણે માત્ર 50 વર્ષની ઉંમરે દુનિયા છોડી હોવાથી પરિવારજનો સહિત સૌને સ્વાભાવિક રીતે જ ઘેરો આઘાત લાગ્યો છે. હ્રદય રોગનો હુમલો તેમના મોતનું કારણ બન્યું હતું. તેઓ હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં દાખલ હતા.
રાજ્યમાં બે દિવસનો શોક
તેમના દેહાવસાન બાદ રાજ્ય સરકારે બે દિવસનો શોક જાહેર કર્યો છે. ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના દિવસે આંધ્રપ્રદેશ રાજ્યમાં શોક પાળવામાં આવશે.
આંધ્ર અને તેલંગાણાના ઘણાં નેતાઓએ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.