આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઓવર ફ્લો થઈ રહી છે.જ્યારે અનંતપુર જિલ્લામાં નદીના પૂરમાં અનેક લોકો ફસાઈ ગયા છે.તેમને બચાવવા માટે નેવી ઓપરેશન ચલાવી રહી છે.
આંધ્રપ્રદેશના અચાનક આવેલા પૂરમાં 3 લોકોના મોત થયા
NDRF અને SDRF ની ટીમો બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત
રેડ્ડી સરકારે પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ ના નિર્દેશ આપ્યો.
#APPolice Rescue Operations:
10 people stranded in Chitravathi river, #Anantapur District were Airlifted & #Rescue d with the help of #IndianAirforce chopper.
NDRF,SDRF,Fire,Revenue Depts & Swimmers also participated in the operation.
Special thanks to @IAF_MCC for saving lives. pic.twitter.com/HUpHRoUXrT
આંધ્રપ્રદેશના કુડ્ડાપાહ, અનંતપુર સહિત તટીય જિલ્લાઓમાં આવેલા પૂરમાં 3 લોકોના મોત થયા
આંધ્રપ્રદેશના કુડ્ડાપાહ, અનંતપુર સહિત તટીય જિલ્લાઓમાં શુક્રવારે આવેલા અચાનક પૂરમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો પાણીમાં વહી ગયા હોવાના અહેવાલ છે.ત્યારે તિરુપતિના પ્રખ્યાત મંદિરમાં પણ વરસાદનું પાણી ઘૂસી ગયું છે. કુડ્ડાપાહ જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેયેરુ નાની નદીમાં અચાનક પૂરના કારણે કાંઠાના કેટલાક ગામો પાણીમાં ડૂબી ગયા હતા. કારતક પૂર્ણિમાના અવસરે શિવ મંદિરમાં પૂજા કરી રહેલા ભક્તોનું એક જૂથ અચાનક પૂરમાં ફસાઈ ગયું અને કેટલાક લોકો રાજમપેટ વિસ્તારમાં પૂરના પાણીમાં વહી ગયા. હાલ નંદાલુરુ નજીક ત્રણ મૃતદેહ મળી આવ્યા છે જ્યારે લાપત્તા લોકોની શોધ ચાલુ છે.
ચિત્રાવડી નદીમાં ભારે વરસાદ અને પૂરના કારણે 11 લોકો ફસાયા છે.
બીજી તરફ અનંતપુર જિલ્લાની ચિત્રાવડી નદીમાં ભારે વરસાદ અને નદી ઓવરફ્લો થવાને કારણે 11 લોકો ફસાયા છે. માહિતી મળતાની સાથે જ જિલ્લા પ્રશાસન અને અન્ય અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જેસીબી મારફતે કારને બહાર કાઢવામાં આવી હતી. ડીએસપી રામકાંતે જણાવ્યું કે તેમણે મદદ માટે હેલિકોપ્ટરની મદદ લીધી હતી. આ પછી નેવીના હેલિકોપ્ટરથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ પડી રહ્યો છે
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. તેના કારણે ચિત્તૂર અને કુડ્ડાપહમાં ઘણા વર્ષોમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી અને તેમને રાહત અને બચાવ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.