આંધ્ર પ્રદેશમાં હજારો સરકારી કર્મચારીઓ નવા વેતન સંશોધનનો વિરોધ કરી રહ્યા છે. તેમનો વિરોધ શુક્રવારે પણ ચાલું રાખ્યો હતો. હજારો કર્મચારી નવા પગાર સંશોધનનો વિરોધ કરવા માટે અમરાવતીમાં સચિવાલયની બહાર ધરણાં પર બેઠેલા છે.
આંધ્ર પ્રદેશમાં હજારો સરકારી કર્મચારીઓ નવા વેતન સંશોધનનો વિરોધ કરી રહ્યા છે. તેમનો વિરોધ શુક્રવારે પણ ચાલું રાખ્યો હતો. હજારો કર્મચારી નવા પગાર સંશોધનનો વિરોધ કરવા માટે અમરાવતીમાં સચિવાલયની બહાર ધરણાં પર બેઠેલા છે. ઉપરાંત આ તમામ કર્મચારીઓ ઊંધા ચાલીને અનોખો વિરોધ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ગુરૂવારે પણ આંધ્ર પ્રદેશ સરકારના હજારો કર્મચારીઓએ હાલમાં જ કરેલા વેતન સમીક્ષા વિરુદ્ધ ગુરૂવારે વિજયવાડાના રસ્તા પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન શહેરના બીઆરટીએસ રોડ પર લોકોની ભીડ જામ થઈ હતી.
તો વળી મુખ્ય સચિવ સમીર શર્માએ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને સાત ફેબ્રુઆરીથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર જવાના આહ્વાનને પાછુ લેવાની અપીલ કરી છે. તેમણે કર્મચારીઓને કહ્યું કે, અમુક સમસ્યા છે, પણ અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ. નાણા સચિવ અને મુખ્ય સચિવે પત્રકારો સાથે વાતમાં જણાવ્યું હતું કે, તેલંગણાની માફક, જો અમે પણ ફક્ત મોંઘવારી ભથ્થું આપ્યું હોત અને 27 ટકા રાહત આપી ન હોત તો, છેલ્લા 30 મહિનામાં અમે 10,000 કરોડ રૂપિયા બચાવી શક્યા હોત. વચ્ચગાળાની રાહત વ્યાજ વગરની લોન જેવી છે. જેને પાછી લેવાની છે. પછી તેને આપ કંઈ પણ નામ આપો. જો કે, તેમણે કહ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં જ કોર્ટના નિર્દેશોનું પાલન કરશે.
હાઈકોર્ટે વેતન સમીક્ષાને લઈને દાખલ કરવામાં આવેલી અલગ અલગ જાહેરહિતની અરજીઓ પર સુનાવણી કરી રહ્યું છે. કોર્ટે બે દિવસ પહેલા જ આદેશ જાહેર કરીને રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા કે, તે કર્મચારીઓ પાસેથી વેતનની કોઈ વસૂલી ન કરે.