આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ કાયરેક્ટોરેટ(ઈડી)ના મામલાને પહોંચી વળનારી એક અદાલતે મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીને કેટલીક ખાનગી કંપનીઓની કથિત સંલિપ્તતા વાળા મામલામાં નોટિસ મોકલી છે. કોર્ટે આ મામલામાં સમન્સ મોકલીને રેડ્ડી અને તેમના કેટલાક અધિકારીઓને 11 જાન્યુઆરીએ હાજર રહેવા આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યાનુંસાર આ મામલાને સ્થાનીક કોર્ટમાંથી ઈડીની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ રેડ્ડીને આ આદેશ આપવામાં આવ્યો છે.
આ કેસને સીબીઆઈ- ઈડીની અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો
રેડ્ડીની સાથે અનેક લોકોને પણ સમન્સ
આ કેસને સીબીઆઈ- ઈડીની અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો
સૂત્રોના જણાવ્યાનુંસાર આ મામલામાં અવિભાજિત આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી રહેલા અને રેડ્ડીના પિતા દિવંગત વાઈ એસ રાજશેખર રેડ્ડીના કાર્યકાલ દરમિયાન કંપનીઓની ભૂમિ ફાળવણીમાં કથિત અનિયમિતતાઓના મામલાઓ સાથે જોડાયેલા છે. આ મામલાની સુનવણી સ્થાનીક કોર્ટમાં થઈ રહી હતી. અને સીબીઆઈ- ઈડીની અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
રેડ્ડીની સાથે આ લોકોને પણ સમન્સ જારી
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની સાથે કોર્ટે એમપી વિજયા આઈ રેડ્ડી, હેટેરો ડ્રગ્સના ડિરેક્ટર શ્રીનિવાસ રેડ્ડી, અરવિંદો ફાર્માના એમડી નિત્યાનંદ રેડ્ડી, પીવી રામપ્રસાદ રેડ્ડી, ટોડેંટ લાઈફ સાયન્સના ડિરેક્ટર ચંદ્ર રેડ્ડી અને સેવા નિવૃત્ત આઈએએસ અધિકારી બીપી આચાર્યને સમન્ય મોકલ્યું છે.
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે કિડ પ્રો કો તેલંગાનાના જેદ્રચલામાં વિશેષ આર્થિક ક્ષેત્ર- એસઈજેડમાં અરવિંદો ફાર્મા અને હેટેરો દવાઓ માટે જમીન ફાળવણીમાં સામિલ હતા. વર્ષ 2004-2009 દરમિયાન આ મામલો વાઈએસઆર સરકારની પાસે પાછો જતો રહ્યો હતો. જ્યાં જગન મોહનના પિતાની આગેવાની વાળી સરકારે મૂલ્ય નિર્ધારણ સમિતિના નિર્ણયની વિરુદ્ધ અરબિંદો અને હેટેરોને 75 એકરની જમીન 7 લાખ રુપિયા પ્રતિ એકરના દરે ફાળવી હતી.