વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારનાં રોજ એન.ચંદ્રબાબુ નાયડુનાં અમરાવતી સ્થિત આવાસ પ્રજા વેદિકાને પોતાનાં કબ્જામાં લઇ લીધો. આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીએ 'પ્રજા વેદિકા' બિલ્ડીંગને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારનાં રોજ બિલ્ડીંગ તોડવાનું કામ શરૂ થઇ જશે. જો કે, હાલમાં 'પ્રજા વેદિકા'માં જ ચંદ્રબાબુ નાયડુ રહે છે.
આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીએ 'પ્રજા વેદિકા' બિલ્ડીંગને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારનાં રોજ બિલ્ડીંગ તોડવાનું કામ શરૂ થઇ જશે. જો કે, હાલમાં 'પ્રજા વેદિકા'માં જ ચંદ્રબાબુ નાયડુ રહે છે. થોડાંક સમય પહેલા ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડીને ચિઠ્ઠી લખીને 'પ્રજા વેદિકા'ને નેતા પ્રતિપક્ષનાં સરકારી આવાસ ઘોષિત કરવાની માંગ કરી હતી.
વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારનાં રોજ એન.ચંદ્રબાબુ નાયડુનાં અમરાવતી સ્થિત આવાસ પ્રજા વેદિકાને પોતાનાં કબ્જામાં લઇ લીધો. તેલુગુ દેશમ પાર્ટીએ આને બદલવાની કાર્યવાહીનો કરાર કર્યો. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરકારે પૂર્વ મુખ્યમંત્રી પ્રત્યે કોઇ જ સદભાવના દેખાડી નહીં, કેમ કે તેમનાં સામાનને ઉંદાવલ્લી ઘરની બહાર ફેકી દેવાયો.
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy orders demolition of 'Praja Vedika' building, demolition of the building to begin day after tomorrow. (file pic) pic.twitter.com/B5ITbRNKQ8
ચંદ્રબાબુ નાયડુએ ત્યારથી કૃષ્ણા નદીને કિનારે ઉંદાવલ્લી સ્થિત આ આવાસમાં રહેતા હતાં, જ્યારથી આંધ્રપ્રદેશે પોતાનું પ્રશાસન હૈદરાબાદથી અમરાવતી શિફ્ટ કર્યુ હતું. હૈદરાબાદ હવે તેલંગાનાની રાજધાની બની ગયેલ છે. પ્રજા વેદિકાનું નિર્માણ સરકારે આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એપીસીઆરડીએ)ને આધારે તત્કાલીન મુખ્યમંત્રી આવાસનાં રૂપમાં કર્યુ હતું. પાંચ કરોડ રૂપિયામાં બનેલ આ આવાસનો ઉપયોગ નાયડુ અધિકારિક કાર્યોની સાથે જ પાર્ટીની બેઠકો માટે કરતા હતાં.
નાયડુએ આ મહીનાની શરૂઆતમાં જ મુખ્યમંત્રી વાઇ.એસ. જગન મોહન રેડ્ડીને પત્ર લખીને આ માળખાનો ઉપયોગ બેઠકો માટે કરવાની પરવાનગી માંગી હતી. તેઓએ સરકારને આગ્રહ કર્યો હતો કે તેઓ આને નેતા પ્રતિપક્ષનો આવાસ જાહેર કરી દે પરંતુ સરકારે પ્રજા વેદિકાને કબ્જામાં લેવાનો શુક્રવારનાં રોજ નિર્ણય કર્યો અને જાહેરાત કરી કે કલેક્ટરોનું સંમેલન ત્યાં થશે. પહેલા આ સંમેલન રાજ્ય સચિવાલયમાં થવાનું નક્કી હતું. નાયડુ આ સમયે પરિવારનાં સભ્યોની સાથે વિદેશમાં રજાઓ ગાળી રહ્યાં છે.