લોકસભાના બીજા ચરણની ચૂંટણીને ગણતરીની ઘડીઓ ગણાઇ રહી છે, જ્યારે એક બીજા પક્ષ પર આક્ષેપ સાથે આરોપો લગાવવાનું ચાલું છે. જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો છે, જોઇએ આ અહેવાલમાં.
લોકસભાના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. હવે લોકસભાના બીજા ચરણની ચૂંટણીને ગણતરીની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
મુખ્યમંત્રી ચંન્દ્રબાબુ નાયડુએ ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા અને પ્રધાનમંત્રી મોદીના ઇશારે ચૂંટણી પંચ કામ કરતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. ચંન્દ્રબાબુ નાયડૂએ કહ્યું કે ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે. છતાં પ્રધાનમંત્રીના ઇશારે કામ કરી રહી છે.
એટલું જ નહીં કેન્દ્ર સરકાર ચૂંટણી પંચના સહારે હસ્તક્ષેપ કરતી હોવાનો આરોપ લગાવ્યો. જે લોકશાહી માટે પડકારરૂપ છે. સાથે જ CBI, ED, ઇન્કમ ટેક્સ, આરબીઆઇ સહિતની સંસ્થાઓમાં સરકાર હસ્તક્ષેપ કરી રહી છે. તમામ સંસ્થાઓ સરકારના ઇશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ દાવો કર્યો કે લોકશાહીને બચાવવા આજે દેશના તમામ વિપક્ષો એક થયા છે.અને ભાજપ સરકાર સામે વિરોધ કરી રહ્યાં છે.