આંધ્રપ્રદેશ વિધાનસભામાં દિશા બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે બળાત્કારના મામલામાં મોતની સજાની જોગવાઇ આપનારું પહેલું રાજ્ય બની ગયું છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને ત્યારબાદ તેનો મૃતદેહ સળગાવી દેવાની હચમચાવી નાખનારી ઘટના બાદ સમગ્ર દેશમાં આક્રોશ હતો. જેને લઇ આંધ્ર પ્રદેશ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશમાં 'દિશા બિલ' પાસ
હવે 21 દિવસમાં જ મોતની સજા
આંધ્ર પ્રદેશમાં જૂના કાયદામાં સંશોધન
દિશા બિલને આંધ્ર પ્રદેશ ક્રિમિનલ લો એક્ટ 2019 પણ કહેવાયો છે. આ બિલ અંતર્ગત રેપ અને ગેંગરેપના મામલામાં ટ્રાઇલને ઝડપી કરવા અને 21 દિવસની અંદર ચુકાદો આપી અને મોતની સજાની જોગવાઇ છે.
આ પહેલા બુધવારે રાજ્યના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં કેબિનેટે દિશા બિલને પાસ કર્યું હતું. હાલનો કાયદો આવા મામલાઓમાં કેસ ચલાવવા માટે ચાર મહિનાનો સમય આપે છે.
Andhra Pradesh Assembly has passed Andhra Pradesh Disha Bill 2019 (Andhra Pradesh Criminal Law (Amendment) Act 2019). The bill provides for awarding death sentence for offences of rape and gang rape and expediting verdict in trials of such cases within 21 days. pic.twitter.com/VZ6JCVo236
આઇપીસીની કલમ 354માં સંશોધન કરી અને નવી 354-ઇ બનાવામાં આવી છે. સંશોધિત કાયદામાં સાત દિવસમાં તપાસ પૂર્ણ કરી અને 14 દિવસમાં કોર્ટ કેસ પૂર્ણ કરવાની જોગવાઇ છે જેથી 21 દિવસની અંદર સજા આપી શકાય.
શું છે જોગવાઇ?
FIR દાખલ થયા બાદ 21 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી મોતની સજાની જોગવાઇ
બિલમાં IPCની કલમ 354માં સંશોધન કરી 354-ઇ બનાવાઇ
રેપ કેસમાં સાત દિવસમાં તપાસ પૂર્ણ કરવી
14 દિવસની અંદર કોર્ટ કેસની કાર્યવાહી કરવી
21 દિવસની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોતની સજાની જોગવાઇ