વર્ષ 2020માં જુદી જુદી આફતોથી આખી દુનિયા પસાર થઇ રહી છે, ત્યારે એક તરફ જ્યાં મહામારીના કારણે લોકો મારી રહ્યા છે ત્યાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મેઘપ્રકોપ જોવા મળી રહ્યો છે.
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મેઘતાંડવના કારણે અત્યાર સુધી 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેલંગાણામાં 18 લોકોએ જ્યારે આંધ્રપ્રદેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. લોકૉ માટે રાહત બચાવનો સૌથી મોટું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
#WATCH Telangana: A car collides with other cars after getting washed away in New Bowenpally area of Hyderabad.
Heavy downpour has created a flood-like situation in several areas of the state capital. pic.twitter.com/y9nfe09VIO
લોકોને બચાવવાના કામમાં રાજ્ય સરકારની સાથે સાથે સેના પણ ઓપરેશનમાં લાગી છે.
વરસાદના કારણે બંને રાજ્યોમાં હાહાકાર છે ત્યારે તેલંગાણા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે અને પીએમ મોદીએ દરેક સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે. પીએમ મોદીએ પોતે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. આ સિવાય રાષ્ટ્રપતિ કોવિદે આ આફત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
#WATCH Telangana: Heavy rainfall in Hyderabad triggers waterlogging and flooding in different parts of the city. Visuals from Reddy Colony, Champapet. pic.twitter.com/bOAWmWMPge
મેઘપ્રકોપથી પ્રભાવિત ક્ષેત્રોમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ પ્રવાસ કર્યો છે. આ દરમિયાન મંત્રીની સામે જ અધિકારીઓથી નારાજ લોકોએ અધિકારીઓને સંભળાવી દીધું.
#WATCH Telangana: Heavy rainfall in Hyderabad triggers waterlogging and flooding in different parts of the city. Visuals from Reddy Colony, Champapet. pic.twitter.com/bOAWmWMPge
ભારે વરસાદના કારણે સૌથી વધુ હાહાકાર હૈદરાબાદમાં થયો છે જ્યાં 48 કલાકથી વરસાદના કારણે હાઈટેક સિટી કહેવાતા શહેરમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. રહેણાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા અને કેટલાય લોકોએ પલાયન કર્યું છે.