આંધ્રપ્રદેશે કોરોનાની લડાઈમાં મહત્વનો પડાવ પાર કર્યો છે. રાજ્યમાં બુધવારે સૌથી વધુ એટલે કે 95 ટકા રિકવરી રેટ નોંધાયો છે. આ સાથે આંધ્રપ્રદેશ સૌથી પહેલું રાજ્ય બન્યું છે જેને મે મહિના બાદથી મોટી સફળતા મેળવી છે. આ પહેલાં કેરળમાં સ્થિતિ સારી થઈ હતી. અચાનક કેસ વધતાં તે સમયે આંધ્રપ્રદેશ આ મુકામ મેળવવાથી ચૂક્યું હતું.
કોરોનાની લડાઈમાં જીત તરફ આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશમાં સૌથી વધુ રિકવરી રેટ
7.93 લાખ સંક્રમિતમાંથી 7.54 લાખ રિકવર
કરનૂલ અને નેલ્લોરમાં 98 ટકા રિકવરી રેટ
ક્યાંક ક્યાંક રિકવરી રેટ 98 ટકા
મળતી માહિતી અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 7.93 લાખ લોકો કોરોના ઈન્ફેક્શનની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યમાં બુધવારે ઈન્ફેક્શનના 3746 નવા કેસ આવ્યા તો કુલ કેસમાંથી 7.54 લાખ દર્દીઓ સાજા થઈ ચૂર્યા છે. અહીં કરનૂલ અને નેલ્લોરમાં રિકવરી રેટ 98 ટકા રહ્યો છે. દરેક જિલ્લામાં રિકવરી રેટ 90 ટકા રહ્યો છે.
અનેક કારણોથી આગળ નીકળ્યું આંધ્રપ્રદેશ
એક્સપર્ટ્સનું માનવું છે કે રાજ્યને મળી રહેલી સફળતા પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેમાં બીમારીને યોગ્ય રીતે મનેજ કરવું, વ્યાપક સ્તરે અને યોગ્ય રીતે ટેસ્ટિંગ કરવું, કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ કરવું, ઘરે ઘરે જઈને સર્વે કરવો, કમ્યુનિટી સર્વિલાંસ કરવા અને સારવાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સારુ કરવાના પ્રયાસ સામેલ હતા. જો કે સૌથી મોટી ભૂમિકા ટેસ્ટિંગની રહી છે.
ટેસ્ટિંગ રહ્યું છે સૌથી મોટું કારણ
જુલાઈમાં રોજ આવનારા ઈન્ફેક્શનના કેસ વધવા છતાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર પછી પણ રાજ્યમાં
ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે, દેશમાં સૌથી વધુ ટેસ્ટિંગ કરનારા રાજ્યમાં યૂપી, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને છત્તીસગઢ છે. જો કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ પોઝિટિવિટી રેટ વધાર્યા બાદ પણ 14 દિવસમાં ટેસ્ટિંગ ઘટાડ્યું છે.
आंध्र प्रदेश में पिछले 24 घंटों में 3,746 नए कोरोना वायरस मामले, 4,739 रिकवरी और 27 मौतें दर्ज़ की गई। कुल मामले 7,93,299 हो गए, जिनमें 32,376 सक्रिय मामले, 7,54,415 रिकवरी और 6,508 मौतें शामिल हैं : राज्य स्वास्थ्य विभाग pic.twitter.com/FOB7BXn0eU