આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાં કેમિકલ ગેસ લીક થયો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત 13 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 1000 લોકો બિમાર થયા છે. જેને લીધે રસ્તા પર એવા દૃશ્યો સર્જાયા છે કે જોનારા દ્રવી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન 3.0માં આ કંપની 33 ટકા સ્ટાફ સાથે શરુ કરવાની છુટછાટ મળી હતી. કામ શરુ થવાનું હતુ.
આ ઘટનામાં 13 ના મોત નિપજ્યા છે 1 હજાર બિમાર છે
કંપનીની આસપાસના 5 ગામો ખાલી કરાવાયા
લોકડાઉન 3.0 માં આ કંપની ખુલવાની હતી
ઉલ્લેખનીય છે કે બુધવારે રાતે 2.30 વાગે આર.આર.વેંકટપુરમ ગામમાં બનેલી આ ઘટના બાદ અંધાધૂંધી ફેલાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નૌકાદળ દ્વારા કંપની નજીકના પાંચ ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.ગેસ લીકેજ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે 3 હજાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 13 લોકોના મોત નિપજ્યા છે. લોકો રસ્તા પર બેભાન થઈ રહ્યા હતા તેવા દ્રશ્યો સર્જાયા હતા.
1961માં હિન્દુસ્તાન પોલિમરના રુપે સ્થાપિત કંપનીને દ. કોરિયાના એલ જી કેમ (LG Chem) દ્વારા લેવામાં આવી હતી અને 1997 માં એલજી પોલિમક ઈન્ડિયના નામ આપવામાં આવ્યુ હતું. આ પ્લાન્ટ પોલીસ્ટાઈનિન અને એક્સપેન્ડેબલ પોલીસ્ટાયર્ન બનાવે છે.
એનડીઆરએફના ડીજી એસ એન પ્રધાને કહ્યું કે ફેક્ટરીમાં સ્ટાઈરીન ગેસ લીક થઈ હતી. જેના કારણે આ ઘટના બની હતી. આ ફેક્ટરી લોકડાઉનમાં ખુલવાની થતી અને તેની રિસ્ટાર્ટ કરવાના ક્રમમાં લીક થવાની સમસ્યા સર્જાઈ હતી. એનડીઆરએફની ડીજીએ કહ્યું કે લગભગ 2.30 વાગે NDRFની ટીમ પહોંચી હતી. અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.