આંધ્રપ્રદેશમાં છેલ્લા 8 દિવસમાં બ્લેક ફંગસ એટલે કે મ્યૂકરમાઈકોસિસના 200 દર્દીઓ જોવા મળ્યા છે. કુલ દર્દીની સંખ્યા 4889 થતાં ખળભળાટ મચ્યો છે.
આંધ્રપ્રદેશમાં 8 દિવસમાં બ્લેક ફંગસના 200 કેસ
કુલ કેસની સંખ્યા 4889 થતા મચ્યો હાહાકાર
કોરોના બાદ બ્લેક ફંગસ વધારી રહ્યો છે સરકારની ચિંતા
સ્વાસ્થ્ય વિભાગના આંકડા કહે છે કે છેલ્લા 8 દિવસમાં 12 દર્દીઓએ બ્લેક ફંગસના કારણે મોતને વહાલું કર્યું છે. અત્યાર સુધી કુલ 448 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં બ્લેક ફંગસથી સંક્રમિત 2687 દર્દીની સર્જરી કરવામાં આવી છે.
8 દિવસમાં બ્લેક ફંગસના 200 કેસ
આંધ્રપ્રદેશમાં છેલ્લા 8 દિવસમાં બ્લેક ફંગસ એટલે કે મ્યૂકરમાઈકોસિસના 200 દર્દીઓ જોવા મળ્યા છે. કુલ દર્દીની સંખ્યા 4889 થતાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા 8 દિવસમાં 12 દર્દીઓએ બ્લેક ફંગસના કારણે મોતને વહાલું કર્યું છે. અત્યાર સુધી કુલ 448 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં બ્લેક ફંગસથી સંક્રમિત 2687 દર્દીની સર્જરી કરવામાં આવી છે. હાલમાં 463 દર્દી બ્લેક ફંગસની સારવાર લઈ રહ્યા છે. આંકડા કહે છે કે 3978 સંક્રમિત વ્યક્તિઓ સારવારથી સાજા થયા છે.
આ જગ્યાઓએ વધારે સંક્રમણ
ચિત્તૂરમાં કુલ 782 કેસ અને 100 મોતની સાથે સૌથી વધારે સંક્રમણ જોવા મળ્યું છે. ગૂંટૂરમાં 740 કેસની સાથે બીજા નંબરે સંક્રમિત અને મોતની સંખ્યા 20 છે. પશ્ચિમ ગોદાવરીમાં શૂન્ય કેસ અને વિજયનગરમમાં 1 કેસ છે. સ્વાસ્થ્ય વિભાગના આકંડા અનુસાર રાજ્યમાં બ્લેક ફંગસથી સંક્રમિત 2687 વ્યક્તિની કરાઈ છે.
આ લોકોમાં રહે છે સંક્રમિત થવાની શક્યતા વધારે
કોરોનાના કારણે પહેલાથી નબળા લોકોમાં આ દુર્લભ બીમારીનું સંક્રમણ ઝડપથી થઈ શકે છે. બ્લેક ફંગસ ખતરનાક એટલા માટે છે કે તેમાં મૃત્યુદર 50 ટકાનો રહે છે. તેમાં બચી જાય તો વ્યક્તિને આંખની રોશની જવાનો ભય રહે છે અને સાથે ચહેરો વિકૃત બનવાનો ભય પણ રહે છે. બ્લેક ફંગસ સંક્રમણ નબળા રોગ પ્રતિરોધક ક્ષમતા વાળા લોકોને થવાની શક્યતા વધુ રહે છે. એવામાં ફંગલ ઈન્ફેક્શન વધી શકે છે. પહેલા આ બીમારી કીમોથેરાપી, અનિયંત્રિત શુગરની બીમારી કે કોઈ ટ્રાન્સપ્લાન્ટથી પસાર થનારા લોકોને અને વૃદ્ધોને વધારે થતી હતી.
નાકથી શરીરના અન્ય અંગોમાં પહોંચે છે ફંગસ
આ બીમારી મ્યૂકરમાઈસાઈટ્સ નામના ફંગસથી થાય છે. તે નાકથી શરીરના અન્ય અંગોમાં પહોંચે છે. આ ફંગસ હવામાં રહે છે અને શ્વાસથી નાકમાં જાય છે. શરીરના અન્ય કપાયેલા કે બળેલા સ્થાનને આ ફંગસના સંપર્કમાં આવવાથી ઇન્ફેક્શનનો ખતરો રહે છે. નાક તેના પ્રવેશની મુખ્ય જગ્યા છે માટે શરીરના કોઈ પણ અંગ પર તે અસર કરી શકે છે.
શરૂઆતના લક્ષણોને ઓળખી લેવાથી બચી શકે છે જીવ
જો શરૂઆતના કેટલાક લક્ષણોને ઓળખીને સમયસર સારવાર લેવાય તો જીવ બચી શકે છે. તેમાં મોતનો ખતરો 50 ટકા રહે છે. ડાયાબિટિસના દર્દી સિવાય વૃદ્ધો અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા લોકો અને કોરોનાથી સાજા થયેલા લોકોએ તેનાથી સચેત રહેવાની જરૂર છે. માથામાં દર્દ, નાક બંદ થવું કે પપડી જામી જવી, આંખમાં લાલાશ સાથે સોજો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવાની જરૂર છે. આ બીમારી એકથી અન્ય વ્યક્તિમાં કે માણસોથી જાનવરોમાં ફેલાતી નથી પણ સીધા ફંગસના સંપર્કમાં આવવાથી સંક્રમણનો ડર રહે છે.