Breaking News: આંધ્ર પ્રદેશના કુરનૂલમાં બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 14 લોકોના મોત-4 ઇજાગ્રસ્ત
આંધ્રપ્રદેશમાં ગોઝારો અકસ્માત
ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર
અકસ્માતમાં 14ના મોત, 4 ઇજાગ્રસ્ત
આંધ્ર પ્રદેશના કુરનુલ જિલ્લામાં મદારપુર ગામ પાસે રવિવારે સવારે એક બસ અને ટ્રક વચ્ચે ખૂબ ભયંકર અકસ્માત થયો જેમાં 14 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત છે.
આંધ્રપ્રદેશના કૂરનુલ જિલ્લામાં મદારપુર ગામની પાસે રવિવારે સવારે બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ જેમાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે ચાર હજુ ઇજાગ્રસ્ત છે.
કુરનુલ જિલ્લાના SPએ જણાવ્યું છે કે અકસ્માત થયો તે સમયે વાહનમાં 18 લોકો સવાર હતા અને દુર્ઘટનામાં ડ્રાઈવરની પણ મોત થઈ ગઈ છે.
નોંધનીય છે કે બે દિવસ પહેલા જ વિશાખાપટ્ટનમાં અનંતગિરિમાં બસ ઊંડા ખાડામાં પડી જતાં બસમાં સવાર 30 લોકોમાંથી 8ના મોત નિપજ્યાં હતા ત્યારે આજે ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.
Andhra Pradesh: 13 people killed, 4 injured in a collision between a bus and a truck near Madarpur village in Veldurti Mandal, Kurnool district in the early morning hours; injured admitted to Government General Hospital pic.twitter.com/Ve1hHqTBkZ