પોલીસે મંત્રી અને તેમના પરિવારને સુરક્ષિત બહાર કાઢી લીધા
કોનાસિમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસિમા કરાયું હતું
યુપીમાં તો જિલ્લા અને શહેરોના નામ બદલાનું કામ શાંતિથી પાર પડ્યું હતું પરંતુ આંધ્રપ્રદેશમાં તેની ભારે કિંમત ચુકવવી પડી છે. રાજ્યની જગન મોહન સરકારે કોનાસિમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસિમા કરી નાખતા લોકો વિફર્યાં હતા. હકીકતમાં, મંગળવારે બપોરે અમલાપુરમ જિલ્લામાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો, જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
#WATCH | MLA Ponnada Satish's house was set on fire by protestors in Konaseema district in Andhra Pradesh today, the protests were opposing the naming of the district as Dr BR Ambedkar Konaseema district pic.twitter.com/XzJskKqhz3
ધારાસભ્યનું ઘર પણ સળગાવી મૂક્યું
આંધ્રપ્રદેશના નવા રચાયેલા જિલ્લા કોનાસીમાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા કરવાના પ્રસ્તાવ સામે મંગળવારે લોકોએ જિલ્લા મુખ્યાલયમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના પગલે રાજ્યના અમલાપુરમ શહેરમાં આગચંપીની ઘટના સામે આવી હતી. આ સાથે જ કોનાસિમા જિલ્લામાં પ્રદર્શનકારીઓએ ધારાસભ્ય પોન્નાદા સતીશના ઘરને પણ આગ ચાંપી દીધી હતી.
અમલાપુરમ શહેરમાં લોકોએ પોલીસ વાહન અને સ્કૂલ બસને આગ ચાંપી દીધી
અમલાપુરમ શહેરમાં ત્રાસવાદીઓ દ્વારા પોલીસ વાહન અને એક સ્કૂલ બસને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના અંગે રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનામાં 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અમે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરીશું અને ગુનેગારો સામે કાર્યવાહી કરીશું.
4 એપ્રિલે પૂર્વ ગોદાવરીથી નવો જિલ્લો બનાવાયો હતો
4 એપ્રિલના રોજ, નવા કોન્સિમા જિલ્લાને તત્કાલીન પૂર્વ ગોદાવરીથી અલગ કરીને બનાવવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે, રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડીને કોનાસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા રાખ્યું હતું. લોકોને તેમના જિલ્લાનું નામ બદલવાનું ગમ્યું નહોતું.