આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ એપીજે 'અબ્દુલ કલામ પ્રતિભા પૂરસ્કાર' નું નામ બદલીને વાઇએસઆર વિદ્યા પૂરસ્કાર કરી દીધુ હતું. તેમના આ નિર્ણયનો વિપક્ષે જબરદસ્ત વિરોધ કર્યો. ત્યારે જગન મોહન રેડ્ડીને હવે ઝુકવુ પડ્યું છે. તેમણે પોતાનો નિર્ણય પાછો લીધો અને આ પૂરસ્કાર હવે એપીજે અબ્દુલ કલામના નામથી આપવામાં આવશે.
CM જગન મોહન રેડ્ડીએ એપીજે 'અબ્દુલ કલામ પ્રતિભા પૂરસ્કાર' નું નામ બદલ્યું
વિપક્ષના જબરદસ્ત વિરોધ બાદ CM જગન મોહન રેડ્ડી ઝુકવુ પડ્યું
પૂરસ્કાર ફરી એપીજે અબ્દુલ કલામના નામથી આપવામાં આવશે.
સોમવારે એક આદેશ હેઠળ 'એપીજે અબ્દુલ કલામ પ્રતિભા પૂરસ્કાર' ના નામને બદલીને ' વાઇએસઆર વિદ્યા પૂરસ્કાર' કરવાનું એલાન કરાયું હતું. આ આદેશનો પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ સહિત ઘણા લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો.
આ ઉપરાંત અધિકારીઓએ મહાત્મા ગાંધી, આંબેડકર અને જગજીવન રામના નામથી પૂરસ્કાર પ્રદાન કરવાનો પણ આદેશ આપ્યો. નોંધનીય છે કે વાઇએસ જગનમોહન રેડ્ડી દિવંગત કોંગ્રેસ નેતા અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઇએસ રાજશેકર રેડ્ડીના પુત્ર છે.
સરકારે એક આદેશ જાહેર કરતા રાજ્યના શિક્ષા વિભાગને સોમવારે કહ્યું હતું કે ડૉ એપીજે અબ્દુલ કલામ પ્રતિભા પૂરસ્કાર હવે વાઇએસઆર વિદ્યા પૂરસ્કારના રૂપે જાણવામાં આવશે. આ પૂરસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવે છે.
પૂરસ્કારમાં મેરિટ સર્ટિફિકેટ, સ્મૃતિ ચિન્હ અને સ્કોલરશિપ સામેલ હોય છે. દેશના પહેલા શિક્ષા મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જયંતીને રાષ્ટ્રીય શિક્ષા દિવસના રૂપે ઉજવવામાં આવે છે. આ પૂરસ્કાર 11 નવેમ્બરે આપવામાં આવે છે.