ભાજપના આખાબોલા અને મોંઢે કહી દેનાર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે તો તેમણે મોદીના સમર્થકોને અંધભક્તોની સાથે ગંધભક્તો પણ કહી નાખ્યા.
સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે ગયા વર્ષે એપ્રિલમાં જ્યારે કોરોના વાઈરસના રોજના 1 લાખ કેસ નોંધાઈ રહ્યાં હતા ત્યારે અને પછી નવેમ્બરમાં જ્યારે ઘટીને 10 હજાર પર આવી ગયા ત્યારે અંધભક્તો અને ગંધભક્તોએ તેનો યશ કોને આપ્યો હતો ? અને હવે ફરી વારે જ્યારે કોરોનાના કેસો 1 લાખની આસપાસ આવી રહ્યાં છે ત્યારે તેનો શ્રેય કોણ લેશે ?
સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીના સમર્થકો, જેઓ ભક્ત તરીકે લોકપ્રિય બન્યાં છે, ને પૂછ્યું કે શું દેશમાં વધી રહેલા કોરોનાના કેસો માટે તેમના નેતા (પીએમ મોદી)ને જવાબદાર ઠેરવવા જોઈએ. અંધભક્તો એટલે પીએમ મોદીનુ આંધળું અનુકરણ કરનાર લોકો અને ગંધભક્તો એટલે ફક્ત નિરિક્ષર જ નહીં પરંતુ તેમના મોંમાંથી દુર્ગંધ આવી રહી હોય તેવા ભક્તો.
સ્વામીના ટ્વિટ બાદ એક યૂઝરે જણાવ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેર હવામાનમાં આવેલા ફેરફારને કારણે છે ત્યારે સ્વામીએ જણાવ્યું કે શું તમે ત્યાં છો. તમે તો બહાનું તૈયાર કરી રાખ્યું છે અને અંધભક્તો અને ગંધભક્તોને તો આ બહાનું જ જોઈએ છે.