આંદામાન અને નિકોબાર ભારતનું પ્રથમ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું જે સત્તાવાર રીતે કોવિડ -19 મુક્ત બન્યું છે.
કોરોના સામેની લડાઈમાં મોટા સમાચાર
આંદામાન નિકોબાર કોવિડ મુક્ત સ્ટેટ બન્યું
છેલ્લા 6 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે અને હવે દેશનો રિકવરી રેટ છેલ્લા કેટકાલ સમયથી વધીને પણ સતત 95 ટકાથી ઉપર રહેવા પામ્યો છે અને હવે દેશમાં મૃત્યુ દરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, એવા સમયમાં દેશ માટે કોરોના મહામારીની લડતની સામે સૌથી સારી ખબર સામે આવી છે.
ભારતનું સૌ પહેલું કોવિડ ફ્રી રાજ્ય બન્યું આંદામાન નિકોબાર
લેટેસ્ટ મહિતી પ્રમાણે હવે દેશમાં આંદામાન અને નિકોબાર એક દેશનું સૌ પહેલું એવું રાજ્ય કે કેંદ્રશાસિત પ્રદેશ બની ગયું છે જ્યાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, આમ હવે તે શૂન્ય એક્ટિવ કેસ ધરાવતું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયું છે, અને હવે ત્યાં કોઈ નવો કોવિડ કેસ પણ નોંધાયો નથી. આમ ભારતનું પહેલું કોવિડ મુક્ત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ બનવાનું સૌભાગ્ય આંદામાન નિકોબાર ટાપુસમૂહને મળ્યું છે.
હાલમાં આ ટાપુ પર કોરોનાનો કોઈ સક્રિય કેસ નથી. મંગળવારે આરોગ્ય વિભાગની વેબસાઇટ અનુસાર, આંદામાનમાં છેલ્લા 4 ચેપગ્રસ્ત કોરોના દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ ૨ કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે ૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આંદામાન અને નિકોબારમાં છેલ્લા 6 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. છેલ્લા 24 કલાકમાં, કોઈ પણ દર્દીનું સંક્રમણના કારણે મૃત્યુ થયું નથી અને મૃતકોની સંખ્યા 62 રહી છેઅત્યાર સુધીમાં 4,928 દર્દીઓ સાજા થયા છે.