હિંદુ અને પારસી વસ્તુકલાથી નિર્મિત અત્યંત ખૂબસૂરત અને લાલ પથ્થરોથી નિર્મિત ફતેપુર સિકરી સ્મારક સંરક્ષણ માટે ખોદકામ ચાલી રહ્યું છે. મોગલ શહેનશાહ અકબરે વસાવેલા અતિ પ્રાચીન શહેર ફતેપુર સિકરી સ્મારકના ખોદકામ દરમિયાન 16 મી સદીનો એક ફૂવારો મળી આવ્યો છે.
મોગલ શહેનશાહ અકબરે યુપી સ્થિત ફતેપુર સિકરીનું નિર્માણ કરાવ્યું હતું
વાતાવરણને ઠંડુ બનાવવા માટે આ ફૂવારો બનાવાયો હોવાનું પુરાતત્વવિદોનો મત
ભારતીય પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન મળી આવેલો ફૂવારો સેન્ડ સ્ટોન અને લાઈમ સ્ટોનન બનેલો છે તથા તે મોગલ સામ્રાજ્યની કલાનો એક બેનમૂન નમૂનો હોવાનું જણાઈ રહ્યું છે.મોગલ કાળમાં વાસ્તુકલાનું ખૂબ કામ થતું હતું અને તેની સાબિતી આ ફુવારા પરથી મળી છે.
ફૂવારો 8.7 મીટર પહોળી ટેન્કની દરેક દિવાલ પર 9 ડિઝાઈન પેટર્ન છે. આ ટેન્કનો ફૂવારો લાલ પથ્થરનો છે. જોકે ફુવારાની પાઈપ કઈ ધાતુની છે તેની કોઈ જાણકારી મળી નથી. છે તથા તેની નીચે 1.1 મીટરની ઊંડી ટેન્ક પણ જોવા મળી છે. વાતાવરણને ઠંડુ બનાવવા માટે આ ફૂવારો બનાવાયો હોવાનું પુરાતત્વવિદોનું માનવું છે.
અકબરના નવ રત્નમાંના એક હતા રાજા ટોડરમલ
અકબરના નવ રત્નમાંના એક ટોડરમલના રહેઠાણ નજીક આ ફૂવારો મળી આવ્યો છે. ટોડરમલ અકબરનો નાણામંત્રી હતો. પહેલી વાર જમીન માપણીની પદ્ધતિ શોધી કાઢવાનું શ્રેય ટોડરમલને ફાળે જાય છે.
એએસઆઈ અધિક્ષક વસંતકુમારની આગેવાનીમાં ફતેપુર સિકરીમાં રાજા ટોડરમલના નિવાસસ્થાનનું મરામત કામ ચાલી રહ્યું છે. એએસઆઈના અધિકારીઓએ અહીં ખોદકામ કરાવ્યું હતું ત્યારે મોગલકાળની વાસ્તુકલાનો આ ભવ્ય નમૂનો સામે આવ્યો હતો.