બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / આજે અનંત-રાધિકાનું રિસેપ્શન, PM મોદી પણ મુંબઇના પ્રવાસે, અંબાણીના પ્રસંગમાં હાજરી આપે તેવી શક્યતા

મનોરંજન / આજે અનંત-રાધિકાનું રિસેપ્શન, PM મોદી પણ મુંબઇના પ્રવાસે, અંબાણીના પ્રસંગમાં હાજરી આપે તેવી શક્યતા

Last Updated: 08:33 AM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Anant Radhika Wedding Latest News : લોકસભા ચૂંટણી બાદ PM મોદી આજે પહેલીવાર મુંબઈની મુલાકાતે, રાત્રે આટલા વાગે PM મોદી અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં આપી શકે છે હાજરી

PM Modi In Anant Radhika Wedding : લોકસભા ચૂંટણી બાદ PM મોદી આજે પહેલીવાર મુંબઈની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે, PM મોદી અનંત અંબાણી અને રાધિકા અંબાણીના રિસેપ્શનમાં પણ હાજરી આપી શકે છે. માહિતી પ્રમાણે PM મોદી સાંજે 05.15 કલાકે મુંબઈ એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન રાત્રે 8 થી 9 વાગ્યા સુધીનો સમય અનામત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન PM મોદી અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી શકે છે.

ચૂંટણી પછી પહેલીવાર મુંબઈ જઈ રહ્યા છે PM મોદી

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. તેમના ત્રીજા કાર્યકાળમાં PM મોદીની આ પ્રથમ મુંબઈ મુલાકાત છે. આજે 13 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ, રેલ અને બંદર સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છજેનો કુલ ખર્ચ આશરે 29,400 કરોડ રૂપિયા હશે. જેમાં PM મોદી 16,600 કરોડ રૂપિયાના થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે.

આ કાર્યક્રમોમાં ભાગ લેશે PM મોદી

આ સિવાય PM મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ અને બોરીવલી થાણે-લિંક રોડના ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ ભાગ લેશે. PM મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે 6300 કરોડ રૂપિયાની ટનલનો શિલાન્યાસ કરશે. આ સિવાય PM મોદી 8400 કરોડ રૂપિયાના બોરીવલી-થાણે લિંક રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. PM મોદી દક્ષિણ મુંબઈમાં ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પણ કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1170 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

વધુ વાંચો : અનંતની દુલ્હનનો સામે આવ્યો ફર્સ્ટ લુક, પરંપરાગત ગુજરાતી સ્ટાઈલમાં રાધિકા લાગી ખૂબસુરત, જુઓ ફોટો

એક કલાકનો સમય આરક્ષિત

આ તમામ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય PM મોદી માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, આ દરમિયાન PM મોદી અનંત અને રાધિકાના રિસેપ્શનમાં સામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે સાત ફેરા લીધા હતા. આ સમય દરમિયાન અનંત અંબાણી તેમની માતા નીતા અંબાણી, ભાભી શ્લોકા મહેતા અંબાણી, ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી સહિત દરેકનો દેખાવ જોવા લાયક હતો.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi In Anant Radhika Wedding Anant Radhika Wedding PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ