ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરતા અનેક અટકળો તેજ.
ગુજરાતના પૂર્વ CMના દીકરીની નરેશ પટેલ સાથે મુલાકાત
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે અનાર પટેલની મુલાકાત
ખોડલધામમાં અનાર પટેલની બેઠકથી અનેક અટકળો તેજ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખોડલધામના રાસોત્સવમાં હાજરી આપ્યા બાદ હવે ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ (Anar Patel) એ નરેશ પટેલ સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો. ખોડલધામમાં અનાર પટેલની એકાએક બેઠકથી રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ થઇ છે. જણાવી દઇએ કે, અનાર પટેલ કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી છે.
પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે નરેશ પટેલ સાથે મુલાકાત કરતા અનેક અટકળો તેજ, ખોડલધામમાં દર્શન કરી નરેશ પટેલ સાથે યોજી હતી બેઠક@anandibenpatel#AnarPatel#NareshPatel
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 4, 2022
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે બેઠક પણ યોજાઇ હતી
મહત્વનું છે કે, કેજરીવાલની ખોડલધામ મુલાકાત બાદ બીજા દિવસે અનાર પટેલ અચાનક જ ખોડલધામ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ખોડલધામમાં દર્શન કરીને માથું ટેકવ્યું હતું. બાદમાં મંદિરમાં દર્શન કર્યા બાદ અનાર પટેલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી.
આ અંગે ખોડલધામના સૂત્રોનું એમ કહેવું છે કે, નવરાત્રી ચાલી રહી હોવાથી અનાર પટેલ માતાજીના દર્શને આવ્યા હતા. તેમની મુલાકાતનો કોઇ રાજકીય અર્થ ન હોતો અને આવી કોઇ ચર્ચા પણ થઇ ન હોતી. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પણ શનિવારે રાજકોટમાં ખોડલધામના રાસોત્સવ અને કડવા પટેલ સમાજ આયોજિત યુવી ક્લબના રાસોત્સવમાં હાજરી આપી હતી.
આ પહેલાં કેજરીવાલે ખોડલધામના રાસોત્સવમાં આપી હતી હાજરી
જોકે તમને જણાવી દઇએ કે, ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પાટીદાર સમાજના કાર્યક્રમમાં આ રીતે એકાએક AAPના ટોચના નેતાઓ પહોંચતા અન્ય રાજકીય પક્ષના નેતાઓમાં દોડધામ મચી ગઇ હતી. મહત્વનું છે કે, કેજરીવાલની મુલાકાત બાદ આનંદીબેનના પુત્રી અનાર પટેલે ખોડલધામની મુલાકાત લઇને નરેશ પટેલ સાથે બેઠક કરતા શું અનાર પટેલ કોઇ મેસેજ લઇને આવ્યા હતા કે કેમ તે અંગે જુદી-જુદી ચર્ચાઓ ચાલી રહી છે.