રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું કે દારૂ જીવનને બરબાદ કરી દે છે. દિકરીઓ એ પરિવારોમાં લગ્ન કરવાનો ઈનકાર કરી છે જ્યાં કોઈ પણ વ્યક્તિ દારૂ પીતો હોય. આ રીતે દહેજ આપવાનું પણ બંધ કરો. દિકરીઓ આત્મનિર્ભર છે.
રાજ્યપાલ આનંદીબેન પટેલની દિકરીઓને સલાહ
દારૂ પિતા હોય તેવા યુવકો સાથે ન કરો લગ્ન
દહેજ માંગે તેવા પરિવારમાં પણ ન કરો લગ્ન
રાજ્યપાલ આનંદીબહેન પટેલે જણાવ્યું કે દારૂ જીવનને બરબાદ કરી દે છે. દિકરીઓ તે પરિવારમાં લગ્ન કરવાનો ઈનકાર કરે જ્યાં કોઈ પણ વ્યક્તિ દારૂ પીતો હોય. આવી જ રીતે દહેજ આપવાનું પણ બંધ કરો. દિકરીઓ આત્મનિર્ભર છે. તે પિતાને સમજાવે અને દહેજ માંગતા પરિવારમાં લગ્ન ન કરે. તેના માટે દિકરાઓને પણ જાગરૂત થવું પડશે.
શું તે વેચાવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. સાંભળ્યું છે ડીએમ અને એસએસપી બની ગયા છે અથવા જેટલી વધારે ડિગ્રીઓ હોય છે તેમને તેટલું જ વધારે દહેજ મળે છે. સીએસજેએમયુના 37માં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલે જળ સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણ કરવાની શપથ પણ અપાવી.
દરેક વ્યક્તિને જાગૃત થવાની જરૂર
ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું, સરકારી યોજનાથી જળ સંકટનું સમાધાન સંભવ નથી. દરેક વ્યક્તિને જાગરૂર થવું પડશે. જેમને મેડલ મળે છે. તેમને શુભકામનાઓ પરંતુ જે વિદ્યાર્થીઓ રહી ગયા છે. તે પણ પોતાને ટોપર સમજે. કારણ કે બધા સમાજની સામે તેમને ટોપર બનવું છે. માટે જીવનમાં અમુક ભૂલો ન કરો.
શિક્ષાનું સ્તર સુધારવા માટે વિજન પ્લાન તૈયાર કરવું જરૂરી છે. માટે દરેક વિવિ અને મહાવિદ્યાલયોને દસ વર્ષના વિજય પ્લાન તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે રાજ્યપાલ, મંત્રી અને કુલપતિ આગળ જાય છે. પ્લાન રહેશે તો યોજનાઓ ચાલતી રહેશે.
કુલપતિ સાહેબ પછાત યુવકો પર કરાવો સ્ટડી
રાજ્યપાલે કહ્યું કે 80 ટકા પદક દિકરીઓએ પ્રાપ્ત કર્યા છે. આ 20 ટકા વાળા શું કરી રહ્યા છે. કુલપતિ સાહેબ, તેના પર સ્ટડી કરાવો. શું તે પાન ખાવા રહે છે કે હાઈલેવલની વિચારધારા ધરાવે છે કે પિતાની પાસે ખૂબ પૈસા છે. જેના કારણે તેમને ભવિષ્યની ચિંતા નથી. નહીં તો યુવકોને યાદીમાં શોધવા પણ મુશ્કેલ થઈ જશે.
90 વર્ષ પહેલા મારા પિતાએ ન હતુ આપ્યું દહેજ
રાજ્યપાલે કહ્યું કે 90 વર્ષ પહેલા મારા પિતાએ નતો કોઈ દહેજ આપ્યું હતું અને ન તો કોઈ બાલ વિવાહ કર્યા. બધાને ભણાવ્યાં. સરદાર પટેલે પણ તેને વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું. તે યુવકના લગ્ન પર કહેતા હતા કે બળદ કેટલામાં વેચ્યો.
દિકરીઓની સાથે દિકરા પણ દહેજ લેવા અને દેવાની પ્રથાને ખતમ કરે. પરિવારમાં વહુ દિખાઈનો રિવાજ હોય છે. જેમાં વહુને નહીં પરંતુ તેના દહેજને જોવા લોકો આવે છે.