અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીના મૃત્યુ બાદ તેમની સુસાઇડ નોટના આધારે આનંદગીરીની ધરપકડ કરવામાં આવી હતી.
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ એવા મહંત નરેન્દ્ર ગીરીના મૃત્યુ બાદ રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ત્યારે હવે વધુ એક નવો વળાંક આવ્યો છે. સુસાઇડ નોટ તેમણે એક સાથે નહીં પરંતુ ધીમે ધીમે લખી હોવાનું બહાર આવ્યું હતું,
27 કલાક સુધી પૂછપરછ
મહંત નરેન્દ્ર ગીરીની સુસાઇડનોટના આધારે આનંદ ગીરીની 27 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેમના ચહેરા પર પસ્તાવાની જરા પણ લાગણી જોવા મળી નહોતી. બલકે પોલીસના દરેક સવાલ પર તેણે પોતે નિર્દોષ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું એવી માહિતી સામે આવી હતી. મહંતના નિધન બાદ સોમવારે સવારે જ તેણી ધરપકડ કરવામાં આવી હતી મંગળવારે તેને પોલીસ લાઈન લઈ જવામાં આવ્યો હતો.
ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્યોએ પણ પૂછપરછ કરી હતી. અને તેણે પોતે નિર્દોષ હોવાનું અને તેણે ફસાવવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ટને ફસાવવા માટેનું કાવતરું કોણે રચ્યું હોય શકે છે? તો તેણે જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરીય તપાસ ગોઠવવામાં આવે તો બધી જ સચ્ચાઈ સામે આવી જશે.
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનાં મોતના મામલામાં સૂત્રોના હવાલાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસના ઉચ્ચપદસ્થ સૂત્રોના જણાવ્યાનુંસાર જે સુસાઈડ નોટને નકલી ગણાવવામાં આવી રહી છે. તેને મહંત નરેન્દ્ર ગિરીએ પોતે જ લખી છે. સૂત્રોના જણાવ્યાનુંસાર મહંત નરેન્દ્ર ગિરી આત્મહત્યાનું મન બનાવી ચૂક્યા હતા અને તેણે 5-6 દિવસમાં ધીરે ધીરે સુસાઈડ નોટ લખી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર હવે ફક્ત ફોરેન્સિક રિપોર્ટની ઔપચારિક્તાની જ રાહ છે. રિપોર્ટ આવતા જ સ્પષ્ટ થઈ જશે કે મહંત નરેન્દ્ર ગિરીએ પોતે જ સુસાઈડ નોટ લખી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી લગાવવાથી મોતની વાત
બુધવારે મહંત નરેન્દ્ર ગિરીના એસઆરએન હોસ્પિટલમાં 5 ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી લગાવવાથી મોત થયાની ખરાઈ થઈ. તેમના ગળા પર વીનું નિશાન હતુ. જે ફાંસીની ખરાઈ કરે છે. જો કે તેમના વિસેરા સુરક્ષિત રખાયા છે. પોસ્ટમોર્ટમ બાદ મહંત નરેન્દ્ર ગિરીને સંત પરંપરા મુજબ શ્રી મઠ બાધંબરી ગદ્દીમાં ભૂ સમાધિ આપવામાં આવશે. આ પ્રસંગે દેશ ભરના સાધુ-સંત અને અનુયાયીઓ તેમના દર્શન માટે ઉમટશે.
ઉલ્લેખનીય છે કે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરાયેલા સ્વામી આનંદ ગિરીની સાથે જ અખાડા સાથે જોડાયેલા અનેક સાધુ સંતોએ સુસાઈડ નોટ પર સવાલ ઉભા કરતા કહ્યું કે મહંત નરેન્દ્ર ગિરી મુશ્કેલીથી હસ્તાક્ષર કરી શકતા હતા. તેવામાં 7 પન્નાની સુસાઈડ નોટ તે કેવી રીતે લખી શકે છે. જો કે પોલીસ પોતાના સ્તરથી આ વાતથી સંતુષ્ટ નજરે પડી રહી છે કે સુસાઈડ નોટનું લખાણ મહંત નરેન્દ્ર ગિરીનું છે અને ફોરેન્સિક રિપોર્ટ આવતા જ આ વાતની ખરાઈ થઈ જશે.