સોશિયલ મીડિયામાં એક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરે જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સહિત અનેક લોકોના દિલ જીતી લીધા છે. ઉલ્લેખનીય છે કે, આ તસવીર મુંબઈના એક રેલવે સ્ટેશનની છે.
ટ્રેનમાં ચઢતા પહેલાં યુવક થયો નતમસ્તક
આનંદ મહિન્દ્રાએ જે કહ્યું તે વાંચીને તમે પણ કરશો સલામ
તસવીર સોશિયલ મીડિયામાં થઈ વાયરલ
વાયરલ થયેલી આ તસવીરમાં એક મુસાફર, ટ્રેનમાં ચઢતા પહેલા ઝૂંકીને પ્રણામ કરે છે. કોઇએ આ પળને પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને ત્યારબાદ ઇન્ટરનેટ પર આ તસવીર વાયરલ થઈ. આપને જણાવી દઇએ કે, કોરોના સંક્રમણ ફેલાતા મુંબઈ લોકલ સામાન્ય નાગરિકો માટે બંધ કરવામાં આવી હતી જો કે, સંકટ ઓછું થતાં ગત 1 ફેબ્રુઆરી 2021ના રોજથી તે ફરીથી રાબેતા મુજબ શરૂ થઇ છે.
રેલેવ પ્લેટફોર્મની આ તસવીરને આનંદ મહિન્દ્રએ પોતાના ટ્વીટર પેજ પર શેર કરી હતી અને સાથે કેપ્શન લખી કે, ભારતની આત્મા, હું પ્રાર્થના કરું છું કે, આપણે તેને ક્યારેય ન ગુમાવીએ. તેમના ટ્વીટને 8 હજારથી વધુ લોકોએ લાઇક કરી હતી તથા 700થી વધુ લોકોએ રિટ્વીટ કરી હતી.
મુંબઈની લાઇફ લાઇન
ડીઆરએમ બેંગલુરૂના જણાવ્યા પ્રમાણે જ્યારે 1 ફેબ્રુઆરી 2021ના રોજ લોકલ સેવા ફરી શરૂ કરવામાં આવી તો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન નંબર 2 પર આ ખૂબસુરત દ્રશ્ય કેમેરામાં કેદ થઇ હતી. નોંધનીય છે કે, આ તસવીર સાચા અર્થમાં જણાવે છે કે, મુંબઇ લોકલ લાઇફ લાઇન છે.