બિઝનેસમેન આનંજ મહિન્દ્રાએ તાજેતરમાં જ ભારતીય એરપોર્ટ પર વ્હીલચેરના વધારે ઉપયોગને લઇને પ્રશ્ન ઊઠાવ્યો છે. જેને લઇને એમના ફોલોવર્સની વચ્ચે વિવાદ સર્જાયો છે.
આનંદ મહિન્દ્રાએ વ્હીલચેરના વધારે ઉપયોગ પર પ્રશ્ન ઊઠાવ્યો
ટ્વિટ કરીને કહી આ વાત
સોશ્યલ મીડિયા પર થયો વિવાદ
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ શનિવારે એક ટ્વિટમાં આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે શું ભારતીય યાત્રીઓ દ્વારા એરપોર્ટ પર વ્હીલચેયરની જરૂરીયાતને ખોટી જણાવવામાં આવે છે. આ પ્રશ્ન બાદથી એમના ફોલોવર્સની વચ્ચે વિવાદ સર્જાયો છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં પોતાના ટ્વિટર હેન્ડલથી એક ટ્વિટ કર્યું, એમાં એમને લખ્યું, 'મોટાભાગના એરપોર્ટ પર માત્ર ભારતથી આવનારી ફ્લાઇટ્સમાં ખૂબ સંખ્યામાં વ્હીલરચેર પ્રી ઑર્ડર કરવામાં આવ્યા છે. આ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છે કેમ?'
Only flights to&from India at most airports have so many wheelchairs pre-ordered. Trying to figure out why. 1) Do elderly Indians travel more than others? 2) Do we have more infirm/unfit people? 3) Are we just jugaadus who order wheelchairs to get faster access through queues!? pic.twitter.com/eyIm5O4KB1
આનંદ મહિન્દ્રાએ પ્રશ્ન કરતા લખ્યું, 'શું વૃદ્ધ ભારતીય અન્ય લોકોથી વધારે યાત્રા કરે છે?' , આપણી પાસે વધારે નબળા/અયોગ્ય વ્યક્તિ છે? શું આપણએ માત્ર જુગાડુ છીએજે વ્હીલચેરનો ઉપયોગ ઝડપથી પહોંચવા માટે કરીએ છીએ.' આનંદ મહિન્દ્રાના આ પ્રશ્ન પર લોકો ખૂબ રિએક્ટ કરી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એના જવાબમાં, કેટલાક યૂઝર્સે વ્હીલટચેરને ભારતીયો દ્વારા કરવામાં આવતો 'ગોટાળા' કરાર આપ્યો, તો બીજી બાજુ અન્ય લોકોએ કહ્યું કે વ્હીલચેર સહાયતા એ બાળકોના માતા પિતા માટે એક વરદાન છે જે દેશની બહાર વસેલા છે. જણાવી દઇએ કે બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા મોટાભાગે આવા મુદ્દા જનતાની સામે રાખે છે, જેની પર કોઇ વિચાર કરતું નથી. આ વખતે પણ એમનો પ્રયાસ સફળ રહ્યો.