સગીર બાળકને ધર્માંતરણ કરવાનો પ્રથમ કેસ આણંદ ખાતે નોંધાયો છે. આણંદ જિલ્લામાં આવેલા આમોદના કેથોલિક ચર્ચના પાદરીએ સગીર બાળકને માતાપિતાની સહમતી વગર બાપ્ટિઝ્મની વિધિ કરીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કર્યો હતો.
ધર્મપરિવર્તન કરનાર કિશોરની માતા અને પાદરી વિરૂદ્ધ ફરિયાદ
આ અંગેની પ્રાપ્ત મળતી માહિતી અનુસાર આમોદના કેથોલિક ચર્ચના પાદરી દ્વારા માતા-પિતાની તેમજ પોલીસની પૂર્વ મંજૂરી વગર સગીર બાળકના ધર્માંતરણને લઇને કલેકટરને અરજી કરી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે આણંદ જિલ્લા કલેકટર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં રજુઆત કરાઈ હતી, જે બાબતે આણંદ કલેકટરે સાત વર્ષ બાદ આમોદના પાદરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કરતા ધર્મજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજ્યમાં ધર્માંતરણની માંગણીને લઇને અંદાજીત 1900 જેટલી અરજીઓ નોંધવામાં આવી છે. જેમાં સૌથી વધારે સુરત શહેરની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા નંબર પર બનાસકાંઠાનો નંબર છે. જો કે એક મળતાં અહેવાલ મુજબ હિન્દુ બાદ મુસલમાનો દ્વારા ધર્માંતરણને લઇને અરજીઓ વધારે કરેલી જોવા મળી છે.