આણંદ જિલ્લાના એક ગામમાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
એક પરિવારે કરી સામુહિક આત્મહત્યા
બે ભાઈ અને બહેને કરી આત્મહત્યા
જેમાં એક નો આબાદ બચાવ, બેના મોત
કોરોનાની મહામારી અને લોકડાઉને લોકોના ધંધા રોજગારી ઉપર ખુબજ ખરાબ અસર પહોંચી છે. આ મહામારીનો વરવો ચહેરો ધીરે ધીરે સામે આવી રહ્યો છે જેમાં કેટલાય લોકો એવા આર્થિક ભીંસમાં સંકડાયા કે તેમનું મોત થઈ ગયુ. આવી જ ઘટનાએ આણંદમાં આક્રંદ મચાવ્યુ છે.
આણંદ જિલ્લાના રાસનોલ ગામે સામુહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. આ ગોઝારી ઘટનામાં બે ભાઈ અને બહેને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જેમાં એકનો બચાવી લેવામાં સફળતા મળી હતી જ્યારે બેના મોત થયા છે.
રાસનોલ ગામમાં પરિવારના ત્રણ સભ્યોએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. દેવું થઈ જતા બે ભાઈ અને એક બહેને મોતને વહાલુ કર્યુ હતુ. ખંભોળજ પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે.