આણંદનાં કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આણંદની એક પ્રસૂતાને ગુરૂવારે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાને પ્રસૂતિગૃહમાંથી બહાર લાવવામાં આવી. ત્યારે નર્સે પિતાને પુત્ર થયો હોવાનાં સમાચાર આપ્યાં હતાં. જો કે થોડાં સમય બાદ નર્સે પુત્રીનો જન્મ આપ્યો હોવાનું જણાવ્યું. આ મામલે હોસ્પિટલનાં સત્તાધીશો પર પરિવાજનોએ આક્ષેપ કર્યા હતાં.
પ્રસૂતાનાં પરિવારે હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં. હોસ્પિટલમાં બાળક બદલીને આપ્યું હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. આ મામલે પરિવારજનો દ્વારા હોસ્પિટલનાં સત્તાધીશો સાથે સંપર્ક કરતા તેમણે તપાસ કરવા માટે જણાવ્યું હતું. જો કે હોસ્પિટલનાં CCTV કેમેરા ચાલુ હોવાં છતાં આ મહિલાની પ્રસૂતિનું રેકોર્ડિંગ થયું નથી. આ મામલે પરિવારજનોએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પરિવારજનોએ જવાબદાર હોસ્પિટલનાં મેડિકલ સ્ટાફ સામે પગલાં લેવાંની માંગ કરી છે.
મહત્વનું છે કે આવાં અનેક કેસો હોસ્પિટલમાંથી સામે આવતા હોય છે. ત્યારે એક વાર ફરીથી બાળકની અદલાબદલીનો વિવાદ સામે આવ્યો છે. જેમાં આણંદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં એવો જ એક કેસ સામે આવ્યો છે. જેને લઇને તે મહિલાનાં પરિવારજન ખૂબ જ આક્રોશ મિજાજમાં છે. તમને જણાવી દઇએ કે આણંદની આ હોસ્પિટલમાંથી જ્યારે મહિલાને પ્રસૂતા બાદ બહાર લાવવામાં આવી ત્યારે નર્સે પિતાને પુત્ર થયો હોવાનાં સમાચાર આપ્યાં હતાં. જો કે બાદમાં તેને આ વાતને નકારી કાઢી હતી. નર્સે પુત્રીને જન્મ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી આ મામલે મહિલાનાં પરિવારજનોએ હોસ્પિટલનાં સત્તાધીશો પર આક્ષેપ કર્યા હતાં.
ત્યારે આ સમગ્ર મામલે પરિવારજનોએ હોસ્પિટલનાં સત્તાધીશો સાથે સંપર્ક કરતાં તેમણે તપાસ કરવા માટે પણ જણાવ્યું હતું. જો કે હોસ્પિટલનાં CCTV કેમેરા ચાલુ હોવાં છતાં આ મહિલાની પ્રસૂતિનું રેકોર્ડિંગ થયું નથી. જેથી આ સમગ્ર મામલે પરિવારજનોએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પરિવારજનોએ જવાબદાર હોસ્પિટલનાં મેડિકલ સ્ટાફ સામે પગલાં લેવાંની માંગ કરી છે.