રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગની બેદરકારીને પર્દાફાશ કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આણંદનાં તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોવાં મળતી લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે.
આણંદ જિલ્લાનાં તારાપુરની CHC સેન્ટરમાં દર્દીઓ સાથે ઉંઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. ડોક્ટર હોસ્પિટલને બદલે બહારની દવાઓ લખી આપે છે. અહીં દર્દીઓને બળજબરીપૂર્વક બહારની દવાઓ લખી આપવામાં આવે છે. હોસ્પિટલનાં ડોક્ટર એનેસ્થેશિયા પણ પુરા પાડતા નથી. ત્યારે અહીંનાં સ્થાનિક લોકોએ અહીંનો વીડિયો બનાવીને ડોક્ટરોની લાલિયાવાડીનો પર્દાફાશ કર્યો છે. હોસ્પિટલમાં દાખલ રહેતાં દર્દીઓ પાસે હજારો રૂપિયા વસુલાય છે. દર્દીઓ પાસે બેફામ રીતે ખુલ્લેઆમ બહારની દવા મંગાવાય છે.
ત્યારે આ કૌભાંડમાં મેડિકલ સ્ટોરનાં સંચાલકો અને ડોક્ટરોની મિલિભગત સામે આવી છે. મેડિકલ સ્ટોર પણ અહીં કોઈ પણ પ્રકારનાં બિલ નથી આપતું કે નથી કમિશન આપતું. ગરીબ દર્દીઓ અહીં બેફામ બેફામ રૂપિયા વસુલાય છે. મેડિકલ સ્ટોરમાં પણ ફાર્માસિસ્ટ પણ નથી હોતાં. જો દર્દીઓ રૂપિયા ના આપે તો દવા પણ અહીં અપાતી નથી. ડૉક્ટરો સામાન્ય પરચીમાં દવાનું પ્રિસ્ક્રિપ્શન આપે છે. તારાપુર PHC સેન્ટરમાં ડોક્ટરો લાલિયાવાડી ચલાવે છે. દર્દીનાં ઓપરેશન માટે 5થી 12 હજાર રૂપિયાનો ખર્ચ અહીં માંગવામાં આવે છે.
સરકારી દવાઓ પુરી પાડવામાં ડૉક્ટરો પણ નિષ્ફળ સાબિત થયાં છે. દર્દીઓને ડોક્ટર બહારની દવા લખી આપે છે. ગરીબ દર્દીઓને ડૉક્ટરો બેફામ થઇને લૂંટ ચલાવે છે. આ લાલિયાવાડી અંગે જ્યારે ડૉક્ટરોને પૂછવામાં આવ્યું ત્યારે ડૉક્ટરોની પણ ચુપકીદી જોવાં મળી હતી. જો કે આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ પાકુ બિલ લખી આપવાની કબૂલાત કરાઇ છે. રૂપિયાની વસુલાત અંગે પણ ચુપકીદી સેવવામાં આવી છે. દર્દીઓને સારવાર ના આપવાનાં સવાલો પર પણ ચુપકીદી સાધવામાં આવી.
ત્યારે આખરે આ કૌભાંડને લઇને મનમાં અનેક પ્રશ્નો ઊભાં થાય છે જેવાં કે આખરે આ ડોક્ટરો પર કોનાં હાથ છે. આરોગ્ય વિભાગમાં કેમ ચાલે છે ઘોર બેદરકારી? આરોગ્યનું કરોડોનું બજેટ આખરે કોણ વાપરે છે? ગાંધીનગરથી ફળવાયેલાં આ રૂપિયા આખરે ક્યાં જાય છે? તારાપુર CHCનાં તબિબોને કોણે ફોડ્યાં છે? કોનાં હિતમાં આ સરકારી ડૉક્ટરો કામ કરે છે?
શું કેબિનેટ મંત્રીને આવા ગફલાની ખબર નથી હોતી? શું રાજ્યકક્ષાનાં મંત્રી માત્ર મોભા માટે જ નિમવામાં આવ્યાં છે? હોસ્પિટલ બહાર આવાં મેડિકલ સ્ટોરો પર કોણ ધ્યાન રાખશે? ફાર્માસિસ્ટ વગર દવા આખરે કેવી રીતે વેચી શકાય? જો દર્દીઓનાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તો કોણ જવાબદાર? 10 પાસ લોકો કેવી રીતે બની બેસે છે ફાર્માસિસ્ટ? શું સરકારી હોસ્પિટલો માટે આખરે નથી કોઈ જ ગાઈડલાઈન? જેવાં અનેક પ્રશ્નો મનમાં ઊભા થાય છે.