આણંદના બોરસદ નજીક રેલવે તંત્ર દ્વારા ખોદકામ કરતી વેળાએ શિવલિંગ આકારની કૃતિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે.
આણંદના બોરસદ નજીક શિવલિંગ મળ્યાનો દાવો
તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી કૃતિ મળી
અલારસાના અભેટાપુરાની સિમની ઘટના
આણંદના બોરસદ નજીક ખોદકામ દરમિયાન શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરાઇ રહ્યો છે. આ અંગેના વાવડ વહેતા થતાં પંથકવાસીઓ શિવલિંગ જોવા માટે ઉમટી પડ્યા હતા. જેને લઈને સ્થળ પર લોકોના ટોળાના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ આ મામલે તંત્રના અધિકારીઓ તપાસ અર્થે ન આવતા લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
શિવલિંગ આકારની કૃતિ જોવા સ્થાનિકો ઉમટ્યા
બોરસદ નજીક અલારસાના અભેટાપુરાની સિમમાં તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું. રેલવે દ્વારા જેસીબી મારફતે ખોદકામ કરાઇ રહ્યું હતુ આ વેળાએ તળાવમાંથી શિવલિંગ આકરની કૃતિ મળી આવતા ઉપસ્થિતોમાં કુતૂહલ સર્જાયું હતું. ત્યારબાદ આ અંગે આસપાસના લોકોને જાણ થતા લોકો શિવલિંગ હોવાના દાવા સાથે આસ્થાભેર દર્શન કરવા આવી રહ્યા છે. વધુમાં પૂજન-અર્ચન થકી ધર્મિક લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહી જેમ-જેમ આ અંગે લોકોને જાણ થઈ રહી છે તેમ આજુબાજુના ગામમાથી પણ લોકો આવી રહ્યા છે ત્યારે તંત્રના સબંધિત વિભાગના અધિકારીઓ આ અંગે તપાસ કરે તો જાણવા મળે કે આ ખરેખર શિવલિંગ છે કે કેમ?