ગઈકાલે ગુજરાતમાં છ બેઠકો ઉપરથી પેટાચૂંટણીના પરિણામ આવ્યા જેમાં 3 બેઠક કોંગ્રેસે જીતી છે જ્યારે 3 બેઠક ભાજપે જીતી છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારો અલ્પેશ અને ધવલસિંહની કારમી હાર થઈ છે ત્યારે કોંગ્રેસની જીત માટે હારેલા નેતાઓનો પરિશ્રમ હોવાનો ગણગણાટ છે. આ છ બેઠકો ઉપર જીત માટેનું સુકાન કોંગ્રેસના જ પીઢ નેતા પણ હારેલા નેતાઓને સોંપવામાં આવ્યુ હતુ.
હારેલા નેતાઓએ કોંગ્રેસને જીત અપાવી
કયા નેતા ક્યાંથી હાર્યા હતા
કોંગ્રેસને મળ્યુ જીવતદાન
રાધનપુર બેઠકની જવાબદારી અર્જુન મોઢવાડીયાને, થરાદ બેઠકની જવાબદારી સિધ્ધાર્થ પટેલને, ખેરાલુ બેઠકની જવાબદારી જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે. તો લુણાવાડા બેઠકની જવાબદારી ભરતસિંહ સોલંકીને, બાયડ બેઠકની જવાબદારી મધુસુદન મિસ્ત્રીને અને અમરાઇવાડી બેઠકની જવાબદારી દીપક બાબરીયાને સોંપવામાં આવી છે. કોંગ્રેસે આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં પૂરી તાકાતથી લડી લેવાનું મન બનાવી લીધું છે.
હારેલા નેતાઓએ કોંગ્રેસને જીત અપાવી
કોંગ્રેસના જે જે નેતાઓને વિધાનસભાની પેટાચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે તેમની નીચે પાંચ-પાંચ ધારાસભ્યોની ટીમ કામ કરશે. પરંતુ કોંગ્રેસે હારેલા નેતાઓને જવાબદારી સોંપીને જે રીતે જુગાર ખેલ્યો છે તેનાં પર આમ નાગરિકોમાં ચર્ચા શરૂ થઈ છે.
કયા નેતા ક્યાંથી હાર્યા હતા.
રાધનપુર બેઠકની જવાબદારીવાળા અર્જુન મોઢવાડીયા પોરબંદરથી 2012 અને 2017માં હાર્યા છે. તો થરાદ બેઠકની જવાબદારીવાળા સિદ્ધાર્થ પટેલ ડભોઇથી 2012 અને 2017માં હાર્યા છે. ખેરાલુ બેઠકની જવાબદારીવાળાં જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી 2014 અને 2017માં હાર્યા છે. તો લુણાવાડા બેઠકની જવાબદારીવાળા ભરતસિંહ સોલંકી આણંદ લોકસભાની બેઠક વર્ષ 2014માં અને 2019માં હાર્યા છે.
બાયડની બેઠકની જવાબદારી વાળા મધુસુદન મિસ્ત્રી વડોદરા લોકસભા બેઠક પરથી વર્ષ 2014માં હાર્યા હતા તો અમરાઇવાડી બેઠકની જવાબદારીવાળાં દીપક બાબરીયા અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક વર્ષ 2009માં હાર્યા હતાં. આ સિવાય શક્તિસિંહ ગોહિલ પણ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી ભાવનગર ગ્રામ્યથી હારી ચૂક્યાં છે.