ઉપલેટામાં પાંજરાપોળ પાસે પાનના ગલ્લામાં આયુર્વેદિક બિયરના નામે નશાયુક્ત પીણાં વેચતો ઝડપાયો, પોલાસે 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
યુવાધનને નશાની લત લગાડતી 'આયુર્વેદિક બિયર'
ઉપલેટામાં પોલીસે પાડ્યા હતા દરોડા
આયુર્વેદિક બિયર નામે નાશીલું પીણું ઝડપ્યું
રાજકોટના ઉપલેટામાં પાંજરાપોળ નજીક પાનના ગલ્લામાં આયુર્વેદિક બિયરના નામે ખુલ્લેઆમ નશાકારક પીણાનું સૌરાષ્ટ્રભરમાં વેચાણ થઈ રહ્યું છે. યુવાધનને નશાના રવાડે ચડાવતી આ આયુર્વેદિક બીયરની બોટલમાં સામાન્ય બિયર કરતા પણ વધુ આલ્કોહોલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આયુર્વેદિક બિયર નામે નાશીલું પીણું ઝડપ્યું
ઉપલેટામાં પાંજરાપોળ પાસે પાનના ગલ્લામાં આયુર્વેદિક બિયરના નામે નશાયુક્ત પીણાં વેચાતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે દરોડા પાડતા ગલ્લામાંથી 14 બોટલો મળી આવી હતી. ગલ્લા માલિકની પૂછપરછના આધારે એક ગોડાઉનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ 22 હજાર કરતા વધુ બોટલો મળી આવી હતી જેની કિંમત 33 લાખ રૂપિયા જેટલી થાય છે. આયુર્વેદિક બીયરનો નશાબંધી અને આબકારી વિભાગના લાયસન્સ વિના મોટી સંખ્યામાં સ્ટોક કરવોએ પણ ગુનો ગણાય છે.
યુવાધનને નશાની લત લગાડતી 'આયુર્વેદિક બિયર'
ચોંકવાનારી બાબત તો એ છે કે, સામાન્ય બિયરની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 8 ટકા જેટલું મળી આવતું હોય છે. ત્યારે આ આયુર્વેદિક બિયરની બોટલમાં 11 ટકા જેટલું આલ્કોહોલ હતું. એવામાં ખુલ્લે આમ વેચાતી આ આયુર્વેદિક બિયરનું સેવન કરનારા લોકો નશાકારક પીણાના રવાડે ચડી જાય છે. હાલ તો આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે અને FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે