જામનગરના માધાપારના ભુંગા વિસ્તારમાં તંત્રના પાપે માસુમ બાળકે જીવ ગુમાવ્યો છે. 5 વર્ષના બાળક પર જર્જરિત ગેટ પડતા મોત થયું છે.
માધાપર તંત્રની ઘોર બેદરકારી
તંત્રના પાપે નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
ઘણા સમયથી ગેટ હતો જર્જરિત
રાજ્યમાં વધુ એકવાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્ર જાણે કોઈ એક દુર્ઘટનાથી સબક ન લઈ રહી હોય તેવું વર્તમાનના કિસ્સાઓ આધિન જણાઈ રહ્યું છે. જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં તંત્રના પાપે નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે.
સમારકામ ન થતા 5 વર્ષના બાળકનું મોત
જામનગરના માધાપારના ભુંગા વિસ્તારમાં તંત્રના પાપે માસુમ બાળકે જીવ ગુમાવ્યો છે. 5 વર્ષના બાળક પર જર્જરિત ગેટ પડતા મોત થયું છે. ગંભીર ઈજાગ્રસ્ત બાળકે હોસ્પિટલ પહોંચતા પહેલા દમ તોડ્યો હતો. જર્જરિત ગેટ પડતાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, GMBની કોલોનીના ગેટને સમારકામ માટે અનેક વખત રજૂઆત પણ થઈ હતી. રજૂઆતો બાદ પણ ગેટનું સમારકામ ન થતા નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો છે. તમને જણાવી દઈએ કે, માધાપર ભુંગા વિસ્તારમાં આંગણવાડીમાં બાળક અભ્યાસ કરતો હતો.
જવાબદારો સામે ક્યારે થશે કાર્યવાહી?
તંત્રના પાપે પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. તેમજ તંત્રની બેદરકારીથી આ ઘટના બન્યાનું રટણ પણ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, GMBની કોલોનીના ગેટને સમારકામ માટે અનેક વખત રજૂઆત પણ થઈ હતી.