વડોદરામાં ગઈ કાલે વાઘોડિયા રોડ પર એક કુટણખાનાનો પર્દાફાશ થયો હતો . આ કેસમાં 12 વર્ષની બાળકીને તેના પિતાએ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે.
સંસ્કારી નગરી વડોદરામાં ગઈકાલે શર્મશાર કિસ્સો સામે આવ્યો હતો જેમા વાઘોડિયા રોડ પરથી એક કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જોકે હવે આ મામલે ચોંકાવનનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેને લઈને પોલીસ પણ 2 ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી. સાથેજ જે પણ ખુલાસાઓ સામે આવ્યા છે. તેને લઈને વડોદરામાં ચકચાર મચી જવા પામી છે.
12 વર્ષની સગીરાનો મોટો ખુલાસો
આ સમગ્ર કેસમાં એક 12 વર્ષની સગીરાએ મોટો ખુલાસો કર્યો છે. જેમા સગીરાએ એવું જણાવ્યું છે કે તેના પિતાએજ તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી. સગીરાએ સમગ્ર મામલે પોલીસને એવી માહિતી આપી છે. કે તેના પિતાએ સુરતથી વડોદરા મોકલીને તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી.
દિલ્હી અને મુંબઈથી આવી હતી યુવતીઓ
પોલીસ તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસાને લઈને પોલીસ પણ 2 ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી. સાથેજ આ કેસમાં અન્ય જેટલી પણ યુવતીઓ છે તે બદીજ મુંબઈ અને દિલ્હીની રહેવાસી હોવાનું સામે આવ્યું છે જે વડોદરામાં આવી હતી. જ્યા બધીજ યુવતીઓ દેહ વ્યપારના ધંધામાં જોડાઈ ગઈ હતી.
4 દલાલોની ધરપકડ
સમગ્ર મામલે પોલીસે કુલ 4 દલાલોની ધરપકડ કરી છે. સાથેજ અન્ય બે આરોપી એવા છે કે જેઓ હાલ ફરાર છે. જેથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે વાઘોડીયા રોડ પર આવેલ સનરાઈઝ કોમ્પ્લેક્ષમાં આ કુટણખાનું ચાલતું હતું. જે મામલે પોલીસે રેડ કરને પર્દાફાશ કર્યો છે.
સગીરાના પિતાની થઈ શકે છે ધરપકડ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો એજ થયો છે કે આ કેસમાં આરોપીઓ સગીર વયની બાળકીઓ પાસે દેહ વ્યાપાર કરવાતા હતા. જે મામલે એવી હકીકત સામે આવી કે 12 વર્ષની સગીરાને તો તેના પિતાએજ દેહ વ્યાપારમાં ધકેલી દીધી હતી. જેથી આ મુદ્દે પોલીસ હવે તે સગીરાના પિતાની પણ ટૂંક સમયમાં ધરપકડ કરી શકે છે.