ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે. ત્યારે આજે CMની અધ્યક્ષતામાં મળનારી કોર કમિટીની બેઠક બાદ નવી ગાઈડલાઇન જાહેર થશે
ગાંધીનગર ખાતે આજે ગુજરાત સરકારની મહત્વની બેઠક યોજાશે
કોરોનાની નવી SOP તેમજ નિયંત્રણો હળવા કરવા અંગે ચર્ચા થશે
વર્તમાન SOPની મુદત કાલે પૂર્ણ થાય છે, વેપારી ગતિવિધીઓને પણ મળી શકે છે છૂટ
ગુજરાતમાં આજે કોરોનાના નિયંત્રણો થઈ શકે છે હળવા
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળશે. જેમાં કોરોના સંક્રમણ નિયંત્રણની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. હવે રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થઈ રહ્યું છે, ત્યારે આજની બેઠકમાં કોરોના નિયંત્રણો હળવા કરવા અંગે ચર્ચા વિચારણા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે કોરોના ગાઈડલાઈનની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે.
હાલના નિયંત્રણોની મુદત 18 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે
ઉલ્લેખનીય છે કે, ગાંઘીનગર ખાતે યોજાનારી આ બેઠકમાં કોરોનાની નવી SOP મુદ્દે નિર્ણય લેવાશે. આવતીકાલે કર્ફ્યુની મુદત પૂર્ણ થઈ રહી છે. ત્યારે સવાલ તે ઉદ્દભવે છે કે શું ફરી 8 મહાનગરપાલિકા સહિત 17 નગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં કોઈ ફેરફાર થશે કે કેમ? આ સિવાય લગ્ન પ્રસંગની નક્કી કરેલી સંખ્યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય થઇ શકે છે. તેમજ દેવસ્થાન, લગ્ન મેળા-મહોત્સવ માટે ગાઈડલાઈન બદલાઈ શકે છે. આ સાથે માસ્ક ન પહેર્યું હોય તો દંડની વસૂલાતમાંથી પણ રાહત મળી શકે છે. તેમજ બસમાં પેસેન્જરની 75 ટકાની ક્ષમતા દૂર કરી શકાય છે. આ સાથે રાજકીય કાર્યક્રમોમાં સંખ્યાની મર્યાદા પણ વધારી શકાય છે. તેમજ વ્યાપારી ગતિવિધીઓ, અન્ય નિયંત્રણો પણ દૂર થવાની સંભાવનાઓ રહેલી છે
બુધવારના કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 8,84 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. બુધવારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 304 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 35 કેસ તો રાજકોટ શહેરમાં 12 કેસ, વડોદરા શહેરમાં 158 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 23 કેસ, ભાવનગર શહેરમાં 07 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 2688 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9378 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 70 દર્દીઓ વેન્ટિલેટર પર છે.