ચોટીલામાં મંદિર સંચાલકો દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, ચોટીલા મંદિર અને દ્વારકા મંદિર સંચાલકોએ મંદિર બંધ રાખવાનો કર્યો નિર્ણય
મંદિર સંચાલકો દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
ચોટીલા મંદિર અનિશ્ચિત કાળ માટે બંધ રહેશે
દ્વારકા મંદિર પણ વધુ 6 દિવસ માટે બંધ રહેશે
ચોટીલામાં મંદિર સંચાલકો દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, મંદિરને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો નિર્યણ કર્યો છે ત્યારે બીજી તરફ દ્વારકા મંદિર સંચાલકોએ પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
ચોટીલા મંદિરને અનિશ્ચિત સમય સુધી બંધ
રાજ્યમાં કોરોના મહામારીને પગલે સુરેન્દ્રનગરમાં આવેલા સુપ્રસિદ્ધ ચોટીલા મંદિર ભાવિ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના કેસ હજુ પણ હજારોની સંખ્યમાં આવી રહ્યા છે, જો કે પહેલા કરતા સ્થિતિ થોડી સારી થઈ છે પરતું ભક્તોના હિતને જોતા મંદિર ટ્રસ્ટે ચોટીલા મંદિરને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્યય કર્યો છે મહત્વનું છે કે કોરોના સંકટની પ્રવર્તમાન સ્થિતિને લઈને મંદિર સંચાલકોએ આ નિર્ણય કર્યો છે. અગાઉ મંદિર સંચોલક ટ્રસ્ટ દ્વારા 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેની અવધી હવે વધારવામાં આવી છે કોરોના સ્થિતિને ધ્યાનમાં લઈને મંદિર ખોલવા અંગેનો નિર્ણય આગામી સમયમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે.
સાબરકાંઠા ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર પણ બંધ
સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર 30 મે સુધી બંધ રહેશે. 20 મેથી મંદિર ભક્તો માટે દર્શન માટે ખુલ્લું થવાનું હતું. હવે ખેડબ્રહ્મા અંબાજી મંદિર 31મેએ ભક્તો માટે ખુલશે. સોશિયલ મીડિયાના માધ્યમથી માતાજીના દર્શન કરી શકાશે. કોરોના સંક્રમણને કારણ મંદિરના વ્યવસ્થાપકોએ નિર્ણય કર્યો. પૂજા,આરતી અને અન્ય વિધિ બંધ બારણે કરવામાં આવશે.
યાત્રાધામ દ્વારકા પણ રહેશે બંધ
બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરના સંચાલકોએ પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે,જો કે મંદિર બંધ રાખવાનો નિર્ણયને આગામી 27મે સુધી રહેશે એટલે આગામી 6 દિવસ માટે મંદિર ભક્તો માટે બંધ રહેશે.મંદિર સંચાલકો 27 મે બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિર ખોલવા અંગેનો નિર્ણય લેશે. દ્વારકા મંદિરમાં પણ ભાવિ ભક્તોની ભીડ જામતી હોય છે, ત્યારે કોરોના મહામારીને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોનું હિત જોતા મહત્વનો નિર્ણય કર્યો છે.
કોરોના મહામારીને જોતા મહત્વનો નિર્ણય
મહત્વનું છે કે રાજ્યમાં કોરોના કેસ સામે આવી રહ્યા છે તે જોતા મંદિર દ્વારા આ નિર્ણય લેવાયો છે હજુ મહામારીનું સંકટ રાજ્ય પર તોડાઈ રહ્યું છે, ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે કેસ હજારોમાં સંખ્યમાં નોઁધાઈ રહ્યા છે જો કે થોડા ગણા અંશે કેસની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે પરંતું સ્થિતિ હજુ સારી નથી તે જોતા મંદિર ટ્રસ્ટે આ નિર્યણ કર્યો છે. મંદિરમાં મોટી સંખ્યમાં ભક્તો આવતા હોય છે તેવામાં કોઈ કોરોના સંક્રમિત ન થાય તે માટે સુરેન્દ્રનગરમાં ભાવિ ભક્તોના હિતમાં મંદિર સંચાલકો એ મહત્વનો નિર્ણય કર્યો છે.