નોર્થ ઈસ્ટના સૌથી મોટા કાયદા AFSPAને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.
ગૃહમંત્રી અમિત શાહની લોકસભામાં જાહેરાત
કેન્દ્ર સરકાર ઘટાડશે AFSPA હેઠળ અશાંત વિસ્તારો
હાલમાં નોર્થ ઈસ્ટના સાત રાજ્યોમાં લાગુ થયેલો છે આ વિશેષ કાયદો
નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરતા કેન્દ્ર સરકારે AFSPA હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડવાનો નિર્ણય લીધો છે. લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે એવું જણાવ્યું કે દાયકાઓ બાદ નાગાલેન્ડ, આસામ અને મણિપુર જેવા નોર્થ ઈસ્ટના રાજ્યોમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ અશાંત વિસ્તારોમાં ઘટાડો કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.
Government of India decides to reduce disturbed areas under Armed Forces Special Powers Act (AFSPA) in the states of Nagaland, Assam and Manipur after decades: Union Home Minister Amit Shah pic.twitter.com/2WDCJmp9gI
AFSPA હેઠળના અશાંત વિસ્તારોને ઘટાડવાની જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સુખ શાંતિ લાવવાના તથા ઉગ્રવાદને ખતમ કરવાના ઘણા કરાર કરીને કાયમી શાંતિ સ્થાપિત કરવાના પીએમ મોદીના અવિરત પ્રયાસોનું સીધું પરિણામ એ આવ્યું કે હવે નોર્થ ઈસ્ટના રાજ્યોમાં અશાંત વિસ્તારો ઘટવા લાગ્યાં છે તથા ત્યાં સુખ,શાંતિ સ્થપાવા લાગી છે.
પહેલા નોર્થઈસ્ટની ઉપેક્ષા થતી હતી પરંતુ હવે શાંતિ,સમૃદ્ધિ અને વિકાસનો યુગ-અમિત શાહ
ગૃહમંત્રી શાહે કહ્યું કે પહેલા દાયકાઓ સુધી નોર્થઈસ્ટના રાજ્યોની ઉપેક્ષા થતી હતી પરંતુ હવે આ રાજ્યો શાંતિ,સમૃદ્ધિ અને અભુતપૂર્વ વિકાસનો નવો યુગના સાક્ષી બની રહ્યાં છે.
In a significant step, GoI under the decisive leadership of PM Shri @NarendraModi Ji has decided to reduce disturbed areas under Armed Forces Special Powers Act (AFSPA) in the states of Nagaland, Assam and Manipur after decades.
શું છે AFSPA અને ક્યાં લાગુ પડેલો છે
કેન્દ્ર સરકારે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) નામનો એક વિશેષ કાયદો બનાવીને સશસ્ત્ર દળોને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં જાહેર કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવાની વિશેષ જવાબદારી આપી છે. આ કાયદા હેઠળ સશસ્ત્ર દળોને શાંતિ સ્થાપિત કરવા માટે ઘણી વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે અને નોર્થ ઈસ્ટના સાત રાજ્યો આસામ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલપ્રદેશમાં આ કાયદો લાગુ છે. પરંતુ હવે આ વિસ્તારોમાં સ્થિતિ સુધરતા કેન્દ્ર સરકારે અશાંત વિસ્તારો ઘટાડવાનો નિર્ણય લીધો છે.
નોર્થઈસ્ટના આ વિસ્તારોને AFSPAમાંથી દૂર કરવામાં આવ્યા
મોદી સરકાર દ્વારા સુરક્ષાની સ્થિતિમાં સુધારો થવાને કારણે અફસ્પા હેઠળ અશાંત ક્ષેત્રનું જાહેરનામું ૨૦૧૫ માં ત્રિપુરાથી અને ૨૦૧૮ માં મેઘાલયમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું. અશાંત વિસ્તારની સૂચના ૧૯૯૦ થી સમગ્ર આસામમાં અમલમાં છે. ૨૦૧૪માં મોદી વડાપ્રધાન બન્યા બાદ સુરક્ષાની સ્થિતિમાં થયેલા સુધારાને કારણે હવે આસામના ૨૩ જિલ્લાઓને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી રહ્યા છે અને ૧ જિલ્લાને ૦૧-૦૪-૨૦૨૨થી AFSPAની અસર હેઠળ આંશિક રીતે દૂર કરવામાં આવી રહ્યો છે.
મણિપુરમાં ઈમ્ફાલ નગરપાલિકા સિવાય અશાંત વિસ્તારોની જાહેરાત 2004થી ચાલી રહી છે. પરંતુ હવે સરકારે 01-04-2022થી 6 જિલ્લાના 15 પોલીસ સ્ટેશન વિસ્તારોના અશાંત વિસ્તારને દૂર કર્યો છે.
અરુણાચલ પ્રદેશમાં વર્ષ 2015માં 3 જિલ્લા, આસામને અડીને આવેલા અરુણાચલ પ્રદેશના 20 કિ.મી. આ પટ્ટા અને અન્ય ૯ જિલ્લાના ૧૬ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આફસ્પાનો અમલ કરવામાં આવ્યો હતો જે ક્રમશઃ ઘટાડવામાં આવ્યો હતો જ્યારે હવે અન્ય ૧ જિલ્લાના સિરભ ૩ જિલ્લા અને ૨ પોલીસ સ્ટેશન વિસ્તારમાં.
સમગ્ર નાગાલેન્ડમાં 1995થી અશાંત વિસ્તારનું જાહેરનામું અમલમાં છે. કેન્દ્ર સરકારે આ અંગે રચાયેલી સમિતિની ભલામણોને તબક્કાવાર રીતે આફસ્પા દૂર કરવા માટે સ્વીકારી છે. નાગાલેન્ડમાં, 01.04.2022 થી 7 જિલ્લાના 15 પોલીસ સ્ટેશનોમાંથી અશાંત વિસ્તારનું જાહેરનામું દૂર કરવામાં આવી રહ્યું છે.