પાંચ વર્ષમાં છ વીમા કંપનીને રાજ્ય-કેન્દ્ર-ખેડૂતોએ ચુકવ્યા 14000 કરોડ, પ્રિમિયમની ચુકવણી સામે ખેડૂતોને નુકશાન વળતર મળ્યું નગણ્ય
પાક વીમા કંપનીઓએ રાજ્યના ખેડૂતોને છેતર્યા
પાક વીમા વળતર મામલે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
પાક વીમાના તમામ કેસ એક સાથે ચલાવશે હાઈકોર્ટ
રાજ્યમાં વારે વારે આવતી કુદરતી હોનારતો અને બદલાતા વાતાવરણ વચ્ચે ખેડૂતો ભારે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે.ત્યારે પાક વીમા નુકસાનીના વળતર મામલે ગુજરાત હાઈકોર્ટે ખેડૂતો લક્ષી નિર્ણય લીધો છે..હવે હાઈકોર્ટ પાક વીમાના વળતર સંબંધિત તમામ કેસો એક સાથે કોર્ટમાં ચલાવશે.2 ફ્રેબ્રુઆરીથી હાઈકોર્ટ પાક વીમાના તમામ કેસો એક સાથે ચલાવશે..જેનાથી ખેડૂતોની આર્થિક ચિંતાનું નિવારણ પણ જલ્દી આવે..હાઈકોર્ટના આનંદથી વીમા કંપનીઓથી છેતરાયેલા ખેડૂતોમાં આશા જાગી છે..રાજ્યના ખેડૂતોના ખેતીમાં થયેલી નુકસાનીના વળતરની કરોડોની રકમ વીમા કંપનીઓ દબાવીને બેસી ગઈ છે..એક સમયે તો વીમા કંપનીઓએ દાદાગીરીની એટલી હદ વટાવી હતી કે રાજ્ય સરકારના આદેશોનું પણ પાલન નહતુ કર્યુ.ગુજરાતમાં 19 લાખ ખેડૂતોએ પાક વીમો લીધો હતો . પાક વીમા કંપનીઓએ વળતર ન ચુકવ્યું હોવા અંગે 700 ખેડૂતોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે જેની એક સાથે સુનવાણી થશે.
14000 કરોડનું પ્રીમિયમ લીધું તેમાંથી 3500 કરોડ ચુકવ્યા
ગુજરાતમાં કૃષિ પાક વીમા માટે છ પાક વીમી કંપની છે. પાક વીમો મરજીયાત કર્યો તે પહેલા આ કંપની પાસેથી વીમો લેવાનો થતો હતો. વીમા કંપનીઓને રાજ્ય- કેન્દ્ર સરકાર અને ખેડૂતો પ્રિમિયમ ભરતા હતા. વીમા કંપનીને 5 ટકા લેખે પ્રિમિયમ ભરવામાં આવતું હતું. આ રીતે 2016થી 2019 સુધીમાં 14000 કરોડ રુપિયા કંપનીઓને ચુકવાયા તેમજ કંપનીઓએ ખેડૂતોને નુકશાનીના વળતર મુદ્દે અંદાજે 3500 કરોડ ચુકવ્યા પરંતુ વીમા કંપનીઓ પ્રિમિયમ લેતી હતી પણ નુકશાન વળતરમાં સેટિંગ કરી લેતી હતી. છેલ્લા પાંચ વર્ષમાં વાવાઝોડા, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકશાન થયું હતું. ખેડૂતોને નુકશાનીનું તમામ વળતર ચુકવવાની જવાબદારી કંપનીઓની હતી.
વીમા કંપનીઓની દાદાગીરી
કંપનીઓએ સર્વેમાં ગોટાળા કરીને ખેડૂતોને નુકશાનનું જૂજ વળતર ચુકવ્યું છે. કેટલીક કંપનીઓના તો સ્થળ સર્વે માટે ગુજરાતમાં સ્ટાફમાં પણ ન હતો. એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને આ માટે બ્લેક લીસ્ટ કરવામાં આવી તે વળતર મામલે વીમા કંપનીઓ સરકાર અને ખેડૂતોનું પણ સાંભળતી ન હતી. કેટલાક ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં પણ ફરીયાદ કરી હતી.ગ્રાહક સુરક્ષા ફોરમે ખેડૂત તરફી ચુકાદા પણ આપ્યા હતા જો કે કંપનીઓ ગ્રાહક સુરક્ષા ફોરમને ઘોળીને પી ગઇ હતી આ રીતે વીમા કંપનીઓની ગુજરાતમાં દાદાગીરી રહી છે
આ પહેલા થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે શું કહ્યું હતું?
ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે હતું કે ખેડૂતો બેવડા વળતરની આશા ના રાખે અને વીમા કંપનની પાસેથી નુકસાન મુજબ વળતર મેળવવા ખેડૂતો હક્કદારસુરેન્દ્રનગરના ખેડૂતોએ કરેલી અરજીમાં યોગ્ય સર્વેના અભાવે ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભથી અળગા રહ્યા હોવાની ખેડૂતોએ રજૂઆત કરી છે. સાથે જ ઇન્સ્યોરન્સ કંપની તરફથી પાક વીમાનું વળતર ચૂકવવામાં ધાંધલી કરવામાં આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. જેને લઈ હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે કુલ નુકસાનમાં સરકારે જેટલું નુકસાન ચૂકવ્યું હોય એ સિવાયના વળતરની રકમ માટે ઇન્શ્યોરન્સ કંપનીનો ખુલાસો જરૂરી છે.સાથે જ ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ખેડૂતો બેવડા વળતરની આશા ના રાખે અને વીમા કંપનની પાસેથી નુકસાન મુજબ વળતર મેળવવા ખેડૂતો હક્કદાર હોવાની વાત કરી છે.