અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાથી નવજાત બાળક મળી આવી હતી. મહિલાએ તેનાં પ્રેમીનું બાળક હોવાથી તેણે આ બાળકી ત્યજી દીધુ હોવાનું સામે આવ્યું, પોલીસે મહિલા અને પ્રેમી યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
અમરાઈવાડીમાંથી નવજાત મળ્યાનો ખુલાસો
નવજાત બાળકીની માતાએ કર્યો ખુલાસો
પોલીસે પ્રેમી યુવક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાથી નવજાત બાળક મળી આવ્યા બાદ પોલીસે તેને ત્યજીદેનાર માતાની શોધખોળ શરૂ કરી હતી. જેમાં તે મહિલાએ તેનાં પ્રેમીનું બાળક હોવાથી તેણે આ બાળક ત્યજી દીધુ હોવાનું સામે આવ્યું હતું. મહિલા ગર્ભવતી થતા તેનાં પ્રેમીએ તેને છોડી દીધી હોવાનું સામે આવતા પોલીસે મહિલા અને પ્રેમી યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
અમરાઈવાડીમાંથી નવજાત મળ્યાનો ખુલાસો
અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાંથી મહાલક્ષ્મીનગરની પહેલા માળની સીડી પરથી કપડાની થેલીમાં વિટોળી નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિકોએ પોલીસનો ધ્યાન દોરતાં પોલીસે બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. અમરાઈવાડી પોલીસે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં જન્મેલા બાળકોની વિગતોને આધારે તપાસ શરૂ કરી હતી અને બાળકીની માતા સુધી પહોચી હતી. જેમાં બાળકીની માતાની પૂછપરછમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે.
જેમાં બાળકીની માતા પહેલા પતિ સાથે રહેતી હતી અને તે બાદ પતિએ તેને તરછોડી દીધી હતી. પતિથી અલગ થયા બાદ માતા રખિયાલમાં આવેલા હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી હતી. જ્યાં તેની સાથેજ કામ કરતા એક યુવક આસુતોષ સોલંકી નામના યુવક સાથે પ્રેમમાં પડતા તેણે યુવક સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન યુવકે તેની સાથે શારીરિક સંબંધો બાંધતા તે ગર્ભવતી થઈ હતી. જોકે યુવતી ગર્ભવતી થતા તેનો પ્રેમી પણ તેને મૂકીને ફરાર થઈ ગયો હતો. જે બાદ યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ કપડાની થેલીમાં મૂકીને યુવતી ફરાર થઈ ગઈ હતી.
પોલીસે પ્રેમી યુવક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી
આરોપી આસુતોષ પરણિત હોવા છતા યુવતીને પ્રેમજાળમા ફસાવીને ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતીના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે એકલી રહેતી હતી અને તે સમયે આસુતોષ તેની સાથે કામ કરતો હોય યુવતીની એકલતાનો લાભ લઈને તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે અનૈતિક સંબંધો શરૂ કર્યા હતા. જે બાદ યુવતીના પ્રેમીએ તેને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું અને તેણે ગર્ભપાત ન કરાવતા પ્રેમીએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
પ્રેમી વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી
પોતે પતિ વગરની માતા બની એટલે તેણે હવે કોઈ સ્વીકાર નહીં કરે તેવું વિચારીને માસુમ બાળકીને ત્યજી દીધી હતી. જોકે સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક એક્શન લઈને પ્રેમી વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. અમરાઈવાડીમા નવજાત બાળકને પોલીસે માતાનો પ્રેમ અને મમતા પરત આપવાની સાથે મહિલા સાથે દુષ્ક્રર્મ કરનાર આરોપીની વિરૂધ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે.