અમદાવાદના રાજીવ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ.જેમાં મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ બનાવાવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા 1.50 કરોડ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ઘરે ઘરે પહોંચશે
કોંગ્રેસ દ્વારા વચન પત્રો તૈયાર કરવામાં આવ્યા
ચૂંટણી પહેલા 1.50 કરોડ પત્રિકાઓનું વિતરણ કરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસે તૈયારી આરંભી દીધી છે. વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ ઘરે ઘરે પહોંચશે, કોંગ્રેસ આઠ વચન સાથે દોઢ કરોડ પ્રત્રિકાનું વિતરણ કરશે.
નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે કોંગ્રેસ
કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આઠ વચન જન જન સુધી લઇ જવાની રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે.
નવરાત્રી સમયે શક્તિ વંદના કાર્યક્રમ કરશે
અમદાવાદ ખાતે વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. ચૂંટણી પહેલા નવરાત્રી અને દિવાળીના આગામી કાર્યક્રમ નક્કી કરાયા હતા. ભારત જોડો યાત્રા અંતર્ગત દરેક તાલુકા દીઠ 75 બાઇક રેલીનું આયોજન કરવા આહ્વાન કરાયું હતું. તેમજ આગામી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી રોડ શૉ કરશે. તે પહેલા ગામે ગામ જઇ તૈયારીઓ શરૂ કરવા સૂચનાઓ અપાઇ હતી. આ ઉપરાત કોંગ્રેસ નવરાત્રી સમયે શક્તિ વંદના કાર્યક્રમ કરશે.
દોઠ કરોડ પત્રિકા આપવામા આવશે
રાજ્યમાં 52 હજાર બુથ ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના આઠ વચન સાથેના નાગરિક અધિકાર પત્ર લઇ જશે. આ સાથે ભાજપ શાસની છ નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરવામાં આવી છે. 52 હજાર બુથ ઇન્ચાર્જને પરિણામ સુધી શું કામગીરી કરવાની છે તેની જવાબદારી પણ સોપાઇ છે. આ ઉપરાત મારુ બુથ મારુ ગૌરવ અભિયાન અંતર્ગત દોઢ કરોડ પત્રિકા આપવામા આવશે. કોંગ્રસ પ્રદેશ પ્રમુખથી લઇ બુથ કાર્યકર્તા આ પત્રિકા આગામી 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ આપશે. દર ચૂંટણીમાં બેક ફુટ પર રહેતી કોંગ્રેસ મિશન 2022 માટે ફ્રન્ટ ફુટ પર રમી રહી છે. ત્યારે કોંગ્રેસની નવી સ્ટેટજીનો કેટલો લાભ 2022 ચૂંટણી મળે છે તે જોવાનું રહે છે.
કોંગ્રેસે આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી દીધી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ મતદારોને આકર્ષવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમાંય આ વર્ષે તો ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સત્તામાંથી બહાર છે. ત્યારે કોંગ્રેસે આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી દીધી છે.